તારક મહેતામાં સૌથી વધુ પસંદ કરાતી દયાબેનની એટલે કે દિશા વાકાણીની રાહ આજે પણ દર્શકો જોઈ રહ્યાં છે. તો શું હવે દિશાએ શૂટિંગ શરૂ કરી દીધી છે?
તારક મહેતા કા ઉલટા ચશ્મા 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે
શોમાં દિશા વાકાણી એટલે કે દયાબેન લાંબા સમયથી શોથી દૂર છે
તો હવે દયાબેનની વાપસીના સમાચારથી ભડક્યા ફેન્સ
ટેલિવિઝનના સૌથી ચર્ચિત અને લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી લાંબા સમયથી દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી ગાયબ છે. દયાબેન 3 વર્ષથી શોથી દૂર છે. પરંતુ દિશા વાકાણીની રાહ આજે પણ દર્શકો જોઈ રહ્યાં છે. દિશાના ફેન્સ અવારનવાર તેને લગતી સોશિયલ પોસ્ટ પર રિએક્ટ કરતા રહે છે. ઘણાં લોકો પૂછે કે દિશા ક્યારે શોમાં કમબેક કરશે.
હાલમાં જ દિશા વાકાણીના નામથી એક ઈન્સ્ટા હેન્ડલથી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે દયા બેને શોમાં વાપસી કરી લીધી છે અને તેણે તારક મહેતાની શૂટિંગ શરૂ કરી દીધી છે. આ પોસ્ટને જોઈને ઘણાં લોકો એક્સાઈટેડ થઈ ગયા. તો કેટલાક ફેન્સ અકળાઈ ગયા અને ભડક્યા પણ. ફેન્સ કહેવા લાગ્યા ક્યાં સુધી અમારી લાગણીઓ સાથે રમશો. એક યુઝરે લખ્યું- આવી વાહિયાત પોસ્ટ કરવાનું બંધ કરી દો. તો અન્ય યુઝરે લખ્યું કે શોમાં આવવું જ નથી તો આવી ખોટી વાતો કેમ કરો છો.
હકીકતમાં છેલ્લા ઘણાં દિવસોથી દિશા વાકાણીના આ ઈન્સ્ટા એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ એકાઉન્ટને દિશા વાકાણીનું ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ માનવામાં આવી રહ્યું છે. સાથે જ તેમાં દિશાની યૂટ્યૂબ ચેનલની લિંક પણ શેર કરવામાં આવી છે. જેમાં દિશા વાકાણી રેસિપી બનાવતા જોવા મળે છે.
દિશાએ હાલમાં જે પોસ્ટ શેર કરી છે તેમાં પણ તેના યૂટ્યૂબની લિંક શેર કરી છે અને ફેન્સને મેસેજમાં કહ્યું-વધુને વધુ શેર કરો. કેપ્શનમાં લખવામાં આવ્યું છે વીડિયોની લિંક સ્ટોરીમાં છે. જોકે, દિશાની આવી પોસ્ટથી ફેન્સ નારાજ થઈ રહ્યાં છે. કારણ કે શોના મેકર્સની તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી. સાથે જ આ એકાઉન્ટને લઈને પણ શંકા છે. ઘણી વખત ફેન્સ કંટાળીને નેગેટિવ કમેન્ટ્સ કરતા પણ જોવા મળી રહ્યાં છે.