આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાના પ્રસ્તાવને લઇને ચીને હવે નરમાશના સંકેત આપ્યા છે. આ સમસ્યા પર પોતાના પહેલાના વલણથી ઉલટ ચીને કહ્યું છે કે આ સમસ્યાને 'યોગ્ય રીતે' ઉકેલનો પ્રયત્ન કરવામાં આવશે.
પેઇચિંગ: આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાના પ્રસ્તાવને લઇને ચીને હવે નરમાશનો સંકેત આપ્યો છે. આ સમસ્યા પર પોતાના પહેલાના વલણના ઉલટમાં ચીને કહ્યું છે કે આ સમસ્યાને 'યોગ્ય રીતે' ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે ચીને એના માટે કોઇ સમય મર્યાદા નક્કી કરી નથી. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનના ચીનના પ્રવાસના એખ દિવસ બાદ ભારતના પડોશી દેશનું આ મંતવ્ય મહત્વ છે. એ પહેલા ચીને ઘણી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદને ગ્લોબલ આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર વીટોનો ઉપયોગ કરીને એને બચાવી દેવાતો હતો.
ચીને માર્ચમાં ચોથી વખત આ પ્રસ્તાવ પર રોક લગાવી દીધી હતી. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આંતકી હુમલામાં જૈશનું નામ સામે આવ્યા બાદ ફ્રાંસ, અમિરેકા અને બ્રિટેને આ પ્રસ્તાવ આપ્યો હતો. જો કે હવે આ સમસ્યા પર એક પ્રકારથી ઝુકતા ચીને કહ્યું કે એનો યોગ્ય ઉકેલ નિકાળવામાં આવે.
ફ્રાંસ, અમેરિકા અને બ્રિટન તરફથી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર પોતાના વિરોધને પાછા લેવાના સમાચારોથી જોડાયેલા સનાલો લઇને ચીને આ વાત કહી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.