દુનિયાના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું કોરોના વાયરસના કારણે મોત થયાની અટકળોએ જોર પકડ્યું છે. આ વાતની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ સોશ્યિલ મીડિયા પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની મોતની વાત વાયરલ થઈ રહી છે. શુક્રવારે દાઉદ ઈબ્રાહિમ અને તેની પત્ની મહજબીનને કોવિડ 19 હોવાની પુષ્ટિ થઈ હતી. કોરોનાની જાણ બાદ બંનેને કરાંચીની એક મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
દાઉદ ઈબ્રાહિમનું કોરોના વાયરસના કારણે મોત થયાની અટકળો
અટકળો અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી
શુક્રવારે દાઉદ અને પત્નીને કરાયા હતા દાખલ
પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આ સાથે સારી વાત એ છે કે કરાંચીમાં છૂપાઈને રહેતા અંડરવર્લ્ડ ડોન દાઉદ અને તેની પત્નીને કોરોના થયો હતો અને બંનેને કરાંચીની હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. દાઉદના ભાઈ અનીસે અટકળોને નકારી છે. તેઓએ જણઆવ્યું કે આખો પરિવાર સ્વસ્થ છે અને સાથે તે ભાઈની કંપની ચલાવી રહ્યો છે.
સોશ્યિલ મીડિયા પર દાઉદના મોતની ખબર આવી રહી છે. પણ આ વાતની પુષ્ટિ થઈ નથી.
દાઉદ ઇબ્રાહિમ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાં ગણાય છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ 1993 ના મુંબઈ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ છે. દાઉદ ઇબ્રાહિમ વિશે આખી દુનિયા જાણે છે, પરંતુ તેના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. કારણ કે તે હંમેશાં પરિવારને લોકોની નજરથી દૂર રાખે છે. દાઉદની પત્નીનું નામ મહજબીન ઉર્ફે જુબીના ઝરીન છે. દાઉદ અને ઝુબીનાને ચાર બાળકો છે. ત્રણ પુત્રી માહરૂખ, માહરીન અને મારિયા, જ્યારે મોઇન નામનો એક પુત્ર છે.