સૂત્રોએ દાવો કર્યો છે કે ગુપ્ત માહિતી મુજબ, ડી કંપની અને તેનાં સાથીદારો હવે અમિત શાહને દેશનાં સૌથી મોટા અને સૌથી શક્તિશાળી મંત્રાલય ગૃહ મંત્રાલયમાં મોકલ્યા બાદ જૂની ફાઇલો ખુલવાનાં ડરથી ડરી રહ્યાં છે. આ ફાઇલ બીજી વાર ખુલે એટલું જ નહીં પરંતુ તેમની વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી પણ શરૂ થઇ શકે છે.
મુંબઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નામથી જ પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ કાસકર પહેલેથી જ ભયનાં ઓથાર હેઠળ છે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ હવે અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી બન્યા બાદ ડી કંપનીમાં પણ ખળભળાટ મચી ગયો છે. સૂત્રોનો એવો દાવો છે કે, ગુપ્ત જાણકારી પ્રમાણે ડી કંપની અને તેનાં ગુર્ગાઓને હવે એ વાતનો ડર લાગી રહ્યો છે કે, દેશનાં સૌથી મોટા અને શક્તિશાળી મંત્રાલયનો હોદ્દો અમિત શાહે સંભાળી લેતા જ ગૃહ મંત્રાલયમાં ધૂળ ખાતી જુની ફાઈલો ના તો માત્ર બીજી વાર ખુલી શકે પરંતુ તેમની વિરૂદ્ધ ઝડપથી કાયદેસરની કાર્યવાહી પણ થઇ શકે છે.
શાહનાં ડરથી છોટા શકીલે યોજી બેઠકઃ
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ડી કંપનીનાં આ ડરનો ખુલાસો ત્યારે જ થયો કે જ્યારે એજન્સીઓને ગુપ્ત જાણકારી મળી કે દાઉદનો ખુબ જ નજીક ડોન છોટા શકીલે તાજેતરમાં જ એક અજાણ્યા સ્થળે પોતાનાં ખાસ ગુર્ગાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં શકીલે ઈન્ટરનેટ પર આધારીત કોન્ફરન્સ કોલ દ્બારા દુનિયાભરમાં બેઠેલા પોતાનાં ખાસ ગુર્ગાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં ડી કંપનીએ કાળા કામોને અંજામ આપવાની રણનીતિ બદલીને એક એક પગલું જાણી વિચારીને આગળ વધારવા અંગનો નિર્ણય લીધો છે.
દાઉદે તેનાં સાથીઓને કહ્યું, 'સાવધાન':
અંડરવર્લ્ડ ડોન દાઉદનાં કહેવા મુજબ ખુદ છોટા શકીલે ભારતમાં પોતાનો અલગ-અલગ કારોબાર સંભાળતા ખાસ ગુર્ગાઓને એ સૂચના આપી કે, હવેથી તેઓ એજન્સીઓને લઈને સતર્ક રહે. ખાસ કરીને ખંડણી, ફેક કરન્સી, સટ્ટા બજાર અને ગેરકાયદેસર હથિયારનાં વેપાર સંભાળતા ગુર્ગાઓને તો ત્યાં સુધી સૂચના આપવામાં આવી કે જો તેમને વધારે જોખમ લાગે તો તેઓ ભારત છોડીને બાંગ્લાદેશ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને દુબઈ જેવા અન્ય દેશોમાં જઈને શરણ લઈ શકે છે. ત્યાં તેમની સુરક્ષાની જવાબદારી 'ડી કંપની' ઉઠાવશે. એટલું જ નહીં સૂત્રોનું કહેવું તો એમ છે કે, દેશનાં ઉત્તર પૂર્વી રાજ્યોની બોર્ડર પર એક્ટિવ પોતાની નેપાળ અને બાંગ્લાદેશની ટીમોને પણ ડી કંપનીએ વગર કોઇ જોખમે પીછેહટ કરવાનાં હાલમાં નિર્દેશ આપ્યાં છે.