લોકસભા ચૂંટણીના 2019ના પરિણામોમાં નરેન્દ્ર મોદીએ ડંકો વગાડતા પાકિસ્તાનમાં બેઠેલા અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ ગભરાયો છે. પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈની સુરક્ષિત આડમાં ભરાઈને બેઠેલો દાઉદ રીતસરનો ફફડી ગયો છે આ ખુલાસો ભારતીય ગુપ્તચરોએ આપ્યું છે. ભારતમાં ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ ફફડી ઉઠેલા દાઉદ ઈબ્રાહિમ રાત્રે જ પાકિસ્તાનના એક અધિકારીને મળ્યો હતો.
ભારતમાં ફરીવાર મોદી સરકાર બનતા પાકિસ્તાન અને આતંકી દાઉદ ઈબ્રાહીમ ચિંતામાં છે. જેને લઈને દાઉદ પાકિસ્તાનના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. દાઉદે આ વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીની વધતી લોકપ્રિયતા ઉપરાંત અમેરિકા અને ઈઝરાયેલ જેવા દેશો સાથે વધી રહેલા સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને ISI પાસે પોતાનો જીવ બચાવવા મદદ માગી હતી.
નિવૃત્ત IPS અધિકારી પીકે જૈને જણાવ્યું કે, ભાજપ સરકારના પુનરાગમનથી અનેક ઈન્ટરનેશનલ ઈક્વેશન ચેંન્જ થઈ જશે. એક મજબુત સરકાર આવવાથી પાકિસ્તાન અને દાઉદ પર સાઈકોલોજિકલ પ્રેસર વધ્યું છે.
ભારત સરકાર દાઉદને પરત લાવવા માટે ભરપુર પ્રયાસ કરશે. પાકિસ્તાનના અનેક રાજ દાઉદના દિલમાં દફન છે આ સ્થિતિમાં પાકિસ્તાન દાઉદને સોંપશે કે, ભારતે તેને પકડી લેવો તે મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. આ બધી જ બાબતો આવનાર સમય પર નિર્ભર કરે છે.
ઉલ્લખેનીય છે કે, દાઉદ ઈબ્રાહિમને એ વાતનો ભારોભાર ડર છે કે નરેન્દ્ર મોદી તેને પકડવા માટે કંઈ પણ કરી શકે છે. તેને ISIના અધિકારીઓને સચેત કર્યા છે કે નરેન્દ્ર મોદી કોઈ એવા ઓપરેશનને પણ અંજામ આપી શકે છે. અંડરવર્લ્ડ ડોને એ બાબતનો પણ ડર છે કે, અમેરિકાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદ પણ તેના વિરૂદ્ધ મોટી કાર્યવાહીમાં મોદી સરકારને મદદરૂપ થઈ શકે છે.
આજ કારણે દાઉદ પોતાની સુરક્ષાને લઈને આઈએસઆઈ સામે કરગરી રહ્યો છે. સૂત્રોના મતે અજીત ડોભાલ અગાઉ જ દાઉદની ડી-કંપનીને લઈને કામ કરી ચુક્યા છે. મોદી સરકાર પાર્ટ-2 છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ધાક જમાવી છે. કદાચ દાઉદનું બચવું હવે મુશ્કેલ છે. કોઈને કોઈ ઓપરેશન કે અન્ય રસ્તો અપનાવીને ડી કંપનીનું કામ તમામ થઈ શકે છે.