મોહમ્મદ શમી માટે ટ્રોલિંગ કોઇ મોટી વાત નથી. ક્યારેય બર્થ ડે તો ક્યારેક પત્નીની બોલ્ડ તસવીરો પરંતુ હાલમાં મૅચ હાર્યા બાદ તો લોકોએ તેને પાકિસ્તાન જવા માટે કહી દીધું હતું.
મોહમ્મદ શમીને લોકોએ કર્યો ટ્રોલ
દીકરીને ICUમાં મૂકીને મૅચ રમ્યો હતો શમી
લોકોએ ગદ્દાર અને દેેશદ્રોહી ગણાવ્યો હતો
ગદ્દારનો આપ્યો ખિતાબ
એક મૅચમાં ખરાબ પ્રદર્શન કરવાં માટે લોકોએ તેને ગદ્દાર અને દેશદ્રોહીનો ખિતાબ આપી દીધો હતો. લોકો તે દિવસ ભૂલી ગયા છે જ્યારે તેની દીકરી ICUમાં હતી અને તેણે ભારતને મૅચ જીતાડી હતી.
દિકરી ICUમાં અને શમી મેદાનમાં લડી રહ્યો હતો
ઓક્ટોબર 2016માં ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસ પર હતી અને કોલકાતાના ઇડન ગાર્ડન મેદાનમાં સીરિઝની બીજી ટેસ્ટ હતી. ભારતે માત્ર 178 રનથી આ મૅચ જીતી નહી પરંતુ સિરીઝ પર કબ્જો કરીને ICC રેન્કિંગમાં નંબર 1નો ખિતાબ પણ હાંસલ કર્યો હતો. આ ઘરેલૂ મેદાન પર ભારતની 250મી ટેસ્ટ મૅચ હતી. શમીએ ટોટલ 6 વિકેટ લીધી હતી. આજે ટ્રોલર્સ તે વાત ભૂલી ગયા છે કે ત્યારે શમીની દીકરી આયરા ICUમાં હતી. તે માત્ર 14 મહિનાની હતી અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
Its #shameful that many ppl are calling #Shami as Gaddar for yesterday's performance.
During ICC champions Trophy 2017, India lost to Pak, Pak Spectator said "Baap Kaun"
મૅચના બીજા દિવસે શમીને દીકરીની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા હતા. મૅચ પત્યા બાદ તે ભાગતા ભાગતા દીકરીને મળવા હોસ્પિટલ ગયો હતો. જે દિવસે મૅચ પતી તે દિવસે આયરા ડિસ્ચાર્જ થઇ હતી.
મોહમ્મદ શમીને ભારતીય યુઝર્સ ટ્રોલ કરી રહ્યાં છે. જે બાદ કેટલાક લોકો તેના બચાવમાં આવ્યા છે. પાકિસ્તાન વિરુદ્ધ શમીએ 3.5 ઓવરમાં 43 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લીધી નહી. શમીએ કુલ 6 ચોગ્ગા અને 1 છગ્ગો આપ્યો હતો. આવા ખરાબ પ્રદર્શન બાદ સોશ્યલ મીડિયા પર શમીને ટ્રોલ કરવામાં આવ્યો અને આરોપ પણ લગાવ્યા હતા.
સહેવાગ આવ્યો બચાવમાં
પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે લોકોને ખરી ખોટી સંભળાવી હતી. સહેવાગે ટ્વિટ કરીને લખ્યું કે, શમી પર જે પ્રકારે ઓનલાઇન એટેક થઇ રહ્યો છે તે ચોંકાવનાર છે. અમે મોહમ્મદ શમી સાથે ઉભા છીએ. તે એક ચેમ્પિયન છે અને ભારતની કેપ પહેરે છે. તેના દિલમાં ભારત વસે છે. શમી અમે તારી સાથે છીએ, આવનારી મૅચમાં બતાવી દે જલવો.
ઉમર અબ્દુલ્લા, ઓવેસી પણ બચાવમાં
હૈદરાબાદના સાંસદ અને AIMIM પ્રમુખ અસદ્દુદીન ઔવેસીએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું. ઔવેસીએ કહ્યું કે કાલે ભારત-પાકિસ્તાન મૅચ બાદ શમીને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. આ બતાવે છે કે દેશમાં કેટલી નફરત વધી ગઇ છે. ટીમમાં 11 ખેલાડી છે અને એક મુસ્લિમ ખેલાડી છે આ લોકો તેને નિશાન બનાવી રહ્યાં છે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ કહ્યું કે, શમી તે 11 ખેલાડીઓમાંથી એક હતો જે ગઇકાલે હાર્યા છે. એવામાં માત્ર તે એક ખેલાડી નહોતો. ટીમ ઇન્ડિયા BLM પર એક ગોઠણ પર બેસે છે તે મહત્વનું નથી જો તમે પોતાના જ ખેલાડી સાથે ન ઉભા રહો તો.