જીવનમાં કોઇપણ પિતાની સૌથી વધુ કપરી ઘડી ત્યારે હોય જ્યારે તેની દીકરીને સાસરે વળાવાની હોય. એવું કહેવાય છે કે કોઇપણ કઠણ હૃદયનો પિતા પણ તે દિવસે દિકરીને સાસરે વળવતા સમયે રડી પડતો હોય છે.
જો વેરાવળમાં તો દિકરીના લગ્નના આગલા દિવસે જ પિતાને હાર્ટ એટેક આવવાથી હોસ્પિટલ લઇ જતા દરમિયાન મૃત્યું થતાં એક બાજુ જ્યાં પરિવારમાં લગ્નની ખુશીનો માહોલ જોવા મળતો હતો ત્યાં ગમગીની જોવા મળી. પિતાના નિધન બાદ લગ્ન અટકાવી દેવાનો કપરો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર વેરાવળમાં લોહાણા રઘુવંશી વેપારીની દીકરીના લગ્ન લઇને પરિવારમાં છેલ્લા ઘણા દિવસોથી હર્ષોલ્લાસ સાથે તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે દિકરીના પિતાની તબિયત એકાએક લથડતાં તેમને સારવાર માટે રાજકોટ લતા રસ્તામાં જ હાર્ટ એટેકથી તેમનું મૃત્યું થઇ જતાં પરિવારમાં શોકની લાગણી જોવા મળી.
હૃદયના કાચા-પોચા વ્યક્તિને હચમચાવી નાંખે તેવી ગમગીનભરી ઘટનાની વિગત વેરાવળમાં બનેલી જોવા મળી. જેમાં શહેરના બિહારીનગરમાં રહેતા અશોકભાઇ પોતે નિઃસંતાન હોઇ નાના ભાઇની દિકરીને બાળપણથી પોતાની પાસે રાખી પ્રેમથી ઉછેરીને ભણાવી-ગણાવીને મોટી કરી હતી. દીકરી અમદાવાદમાં ખાનગી કંપનીનમાં નોકરી કરતી હતી જેના લગ્ન આજે 7 તારીખના રો જ લેવાયા હતા.
એક તરફ પિતાને લાડકવાયી દિકરીનું કન્યાદાન કરવાના હૈયે હરખ હતા. જો કે આ દરમિયાન દીકરીના લગ્નના આગલા દિવસે તબિયત અચાનક લથડતા શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી, જેના કારણે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતા. જો કે વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાનું જણાવતા પરિવાર દ્વારા એમ્બ્યુલન્સ મારફતે લઇ જઇ રહ્યાં હતા ત્યારે જ રસ્તામાં હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યું થયું હતું.