કોરોનાનો કહેર સતત વર્તાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના જોધપુરમાં એવો કિસ્સો સામે આવ્યો કે મહિલા અને તેની દીકરી નિરધાર થઈ ગયા. માતા - પુત્રી કોરોના ગ્રસ્ત થતા પરિવારે જે કર્યું તે જાણી તમે હચમચી જશો. અંતે તેમણે મહિલા હેલ્પલાઈનની મદદ માંગતા થયું આવું. જાણો શું બન્યુ માતા-પુત્રી સાથે...
તેમને ઘરમાં આશ્રય આપવો પડશે
... તો તેઓ ફરી હેલ્પલાઈન પર ફોન કરી શકે
સ્વરાને દીકરી સાથે સરકારી હોસ્પિટલમાં પણ ખસેડ્યા
અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહેતા સ્વરા(45) બેનનો એક માત્ર સહારો 15 વર્ષની દીકરી સ્નેહા છે. પતિના મૃત્યુબાદ તેઓ 5 વર્ષ પિયર માતાના ઘરે રહ્યા હતા. જો કે સ્વરાના માતાને શ્રય હોવાથી તેમની માતા સ્વરા અને સ્નેહાની મદદ સારસંભાળ રાખી શકે એમ નહોવાથી. સ્વરાના બહેન અને માતા એ સ્વરાના સાસરીયાને સમજાવી તેમની વિધવા પુત્રવધૂ અને પૌત્રીને આશ્રય આપવા મનાવ્યા. નિરાધાર સ્વરા દીકરી સ્નેહા સાથે ફરી સાસરી ગૃહે રહેવા ગઈ. જોકે થોડાક દિવસ બાદ તેમની તબિયત ખરાબ થતા તેઓ એ કોરોના ટેસ્ટ કરાવ્યો.
સ્વરા અને દીકરી સ્નેહા કોરોના પોઝિટિવ આવતા. ડૉક્ટરોએ તેમને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપતા .સ્વરાએ સાસુ- સસરા પાસે અલગથી રુમ માંગ્યો પણ તેઓએ તે સમયે તેમને મદદ કરવાની જગ્યાએ ઘરમાંથી કાઢી મુક્યા હતા. જેને પગલે તેમણે મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગી હતી. અંતે હેલ્પલાઈનના કાઉન્સિલર રેન્જુબેન તેમની મદદે પહોંચ્યા રેન્જુ બહેને 108ની મદદથી કોરોનાની સારવાર માટે સ્વરાને દીકરી સાથે સરકારી હોસ્પિટલમાં પણ ખસેડ્યા હતા. તેમજ તેમના સાસરીયાઓનું કાઉન્સેલિંગ કર્યું. જેમાં તેમણે સાસરીયાને સમજાવ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તમે તમારા ઘરનો એક રુમ તેમને આઈસોલેશન માટે આપી શકો છો. હાલ તો અમે તેમને હોસ્પિટલ લઈ જઈએ છીએ પણ જ્યારે તેઓ સાજા થઈને પાછા આવે ત્યારે તેમને ઘરમાં આશ્રય આપવો પડશે. તેમજ સ્વરાને કહ્યું હતું કે સાજા થયા પછી જો તમને ઘરમાં આશ્રય ન મળે તો તેઓ ફરી હેલ્પલાઈન પર ફોન કરી શકે છે.
(પાત્રોના નામ બદલેલ છે.)
સ્ટોરી : ધર્મિષ્ઠા પટેલ, મુંબઈ