ચીને ચીનના દાસૂ ડેમ પ્રોજેક્ટમાં માર્યા ગયેલા ચીની એન્જિનિયરો માટે પાકિસ્તાન પાસે 285 કરોડ રુપિયાના વળતરની માંગ કરી.
પાકિસ્તાન પાસે 285 કરોડ રુપિયાના વળતરની ચીનની માંગ
ચીની એન્જિનિયરો પર હુમલા બાદ પ્રોજેક્ટમાં સિવિલ કામ ઠપ
વિસ્ફોટકથી લાધેલી કારે પ્રોજેક્ટ પર જઈ રહેલી ટીમની બસ સાથે અથડાવવામાં આવી હતી
પાકિસ્તાન પાસે 285 કરોડ રુપિયાના વળતરની ચીનની માંગ
પાકિસ્તાનના સદાબહાર દોસ્તી ચીનના દાસૂ ડેમ પ્રોજેક્ટમાં માર્યા ગયેલા ચીની એન્જિનિયરો માટે પાકિસ્તાન પાસે 285 કરોડ રુપિયાના વળતરની માંગ કરી છે. પાકિસ્તાની અખબાર બિઝનેસ રિકોર્ડરના એક રિપોર્ટ મુજબ ચીન ઈચ્છે છે કે રોકાયેલા પ્રોજેક્ટ પર ફરીથી કામ શરુ કરતા પહેલા વળતર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 14 જુલાઈ 2021એ 9 ચીની એન્જિનિયર, 2 સ્થાનીય લોકો અને ફ્રંટિયર કાંસ્ટેબુલરીના 2 કર્મીઓ એક હુમલામાં માર્યા ગયા હતા. આ હુમલામાં 2 ડર્ઝનથી વધારે લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટકથી લાધેલી કારે પ્રોજેક્ટ પર જઈ રહેલી ટીમની બસ સાથે અથડાવવામાં આવી હતી. જે બાદ બસ ખાઈમાં પડી ગઈ હતી.
ચીની એન્જિનિયરો પર હુમલા બાદ પ્રોજેક્ટમાં સિવિલ કામ ઠપ
બિઝનેસ રેકોર્ડના રિપોર્ટ મુજબ જળ સંસાધન સચિવ શાહજેબ ખાન બંગશ મુજબ જુલાઈમાં ચીની એન્જિનિયરો પર હુમલા બાદ પ્રોજેક્ટમાં સિવિલ કામ ઠપ છે. રિપોર્ટ્સ મુજબ ચીની નાગરિકોને વળતરના મામલા પર હાઈ લેવલ પર વાતચીત થઈ રહી છે.
પ્રોજેક્ટથી જોડાયેલા વળતર પર વિચાર વિમર્શ
વિદેશ મંત્રાલય, નાણા મંત્રાલય, ગૃહ મંત્રાલય અને જળ સંસાધન મંત્રાલય અને ચીની દૂતાવાસ વળતરના પેકેજ સાથે સાથે પ્રોજેક્ટ પર ફરી કામ કરવા પર લઈને વાતચીત કરી રહ્યા છે. અખબારે સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે સંબંધિત મંત્રાલયોના મામલાને લઈને એક કમિટીનું ગઠન કર્યુ હતુ. જેને દાસૂ પ્રોજેક્ટથી જોડાયેલા વળતર પર વિચાર વિમર્શ કર્યો છે.
ચીની ફર્મે દાસૂ પ્રોજેક્ટ પર કામ કરવાનું બંધ કરી દીધુ
ચીની ફર્મ ચાઈના ગેઝોઉબા ગ્રુપ કોર્પ જેણે હુમલા બાદ દાસૂ પ્રોજેક્ટ પર કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. ગ્રુપે પાકિસ્તાન સરકારની ભલામણ બાદથી કામ ફરી શરુ કરી દીધુ હતુ. કંપનીનું કહેવાનું છે કે ત્યાં સુધી કામ શરુ નહીં થાય જ્યાં સુધી વળતળ પેકેજ નહીં મળે અને ચીની નાગરિકોને વધારે સુરક્ષા ન આપવામાં આવે.