દેશભરમાં દશેરાની ઊજવણી ચાલી રહી છે. સમગ્ર દેશ હર્ષોલ્લાસની સાથે આ પર્વને ઊજવે છે અને ઘણા ભાદમાં રાવણ દહન કરવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાના વિસર્જન અને ભગવાન રામની પૂજા કરવામાં આવે છે અને તમામ લોકો આ દિવસે સવારે જ પૂજા અર્ચના કરવા લાગે છે. પરંતુ આ વચ્ચે એક અજીબોગરીબ સ્થાન છે જ્યાં ભગવાન રામ નહીં પરંતુ રાવણની પૂજા કરવામાં આવે છે.
આ ઉપરાંત આશ્વર્યની વાત એ છે કે અહીંયા દશાનનનું મંદિર વર્શમાં એક વખત વિજયાદશમીના દિવસે જ ખુલે છે. અહીંયા દશાનન મંદિરમાં રાવણની પૂજા માટે લોકોની ભીડ રહે છે. ઉત્તરપ્રદેશના કાનપુરના શિવાલા વિસ્તારમાં સ્થિત દશાનન મંદિરમાં ભક્ત રાવણની પૂજા અર્ચના કરવા માટે આવે છે. આ મંદિર વર્ષમાં એક વખત વિજયાદશમીની દિવસે જ ખુલે છે.
દશાનન મંદિરમાં શક્તિના પ્રતિકના રૂપમાં રાવણની પૂજા થાય છે અને શ્રદ્ધાળુ તેલના દીવા કરીને મન્નત માંગે છે. પરંપરા અનુસાર સવારે 8 વાગ્યે મંદિરના દ્વારા ખુલી જાય છે અને રાવણની પ્રતિમાનો શણગાર શ્રૃંગાર કરવામાં આવે છે. ત્યારબાદ આરતી થાય છે. શનિવારની સાંજે મંદિરના દરવાજા એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે.
રાવણના આ મંદિરના સંયોજક અનુસાર મંદિર પરિસરમાં રહેલા વિવિધ મંદિરોમાં શિવ મંદિરની પાસે જ રાવણનું મંદિર છે. એનું નિર્માણ 120 વર્ષ પહેલા મહારાજ ગુરુ પ્રસાદ શુક્લે કર્યું હતું.