બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પોતાની નવી ફિલ્મ લાલ કપ્તાનને લઇને ચર્ચામાં છે. ફિલ્મમાં એ એક નાગા સાધુના રોલમાં નજરે આવશે. સૈફે પહેલી વખત આ પ્રકારનો રોલ કર્યો છે અને એને નિભાવવો ખૂબ પડકારરૂપ રહ્યો.
સૈફ અલી ખાન પોતાની નવી ફિલ્મ લાલ કપ્તાનને લઇને ચર્ચામાં
ફિલ્મમાં એ એક નાગા સાધુના રોલમાં નજરે આવશે
રણવીરને આપ્યો ખિલજી લુક, એને જ સૈફને બનાવ્યો નાગા સાધુ
સૈફના આ લુકને દર્શન યેવાલેકરે તૈયાર કર્યું છે. દર્શન એ જ શખ્સ છે જેને પદ્માવત માટે રણવીર સિંહને અલાઉદ્દીન ખિલજીનો લુક આપ્યો હતો. રણવીરના ખિલજીના લુકને લોકોએ ખૂબ જ પ્રભાવિત કર્યો હતો. દર્શનનું કહેવું છે કે સૈફને નાગા સાધુનું લુક આપવું સરળ નહતું.
લુક માટે પ્રેરણા મળી
ઇન્ટરવ્યૂ દરમિયાન દર્શને કહ્યું કે એક નાગા સાધુ એ વ્યક્તિ છે જે સામાજિત જીવન સહિત તમામ ચીજોને ત્યાગી દે છે. આ સાધુ હંમેશા રાખથી ઢંકાયેલા રહે છે, જે એક સફેદ પાઉડરની જેમ હોય છે. કારણ કે એ ઇશ્વરના માર્ગનું અનુસરણ કરે છે, તેઓ પોતાના માટે વિચારતા નથી. એ ક્યારે પણ પોતાના વાળ અને દાઢીને કપાવતા નથી, એવામાં જટાઓ હોવી સ્વાભાવિક છે. અહીંયાથી જ આ લુક માટે પ્રેરણા મળી.
લાંબા વાળ અને જટાઓ પર કરવામાં આવ્યું કામ?
એમને કહ્યું, 'નાગા લુક ખૂબ જ વાસ્તવિક, ભિન્ન અને સાહસિક હોય છે. સૈફ પર એને જીવંત કરવાનો વિચાર હતો. હવે એના માટે અમે લાંબા વાળ, જટાઓ અને દાઢીની ઉપર કામ કરવાનું હતું, એટલા માટે મે સૈફને વાળ અને દાઢી વધારવા કહ્યું કારણ કે આપણે અસલીના વાળ અને એક્સટેન્શનની વચ્ચે એક સહજ મિશ્રણ બનાવી શકતા હતા.'
દર્શને કહ્યું કે ફર્સ્ટ લુક બે કલાક સુધી ચાલ્યું. નિર્દેશક અને પ્રોડક્શનની સાથે સૈફ પણ ખૂબ જ ધૈર્ય રાખતો હતો કારણ કે એને ખબર હતી કે અમે કંઇક એવું બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે અમારા કમ્ફર્ટ ઝોનથી બહાર છે. એવું નથી કે આટલું કઠિન લુક દરરોજ બનાવવું છું, તો મારે સુધારો અને પ્રયોગ કરવો પડ્યો. જણાવી દઇએ કે ફિલ્મનું નિર્દેશન નવદીપ સિંહે કર્યું છે. આ ફિલ્મ 18 ઑક્ટોબરે રિલીઝ થવાની છે.