આજે નાગપંચમી છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં નાગને દેવતા માનીને પૂજવામાં આવે છે. ત્યારે આજના દિવસે નાગપૂજનનો વિશેષ મહિમા છે. મોરબીના નેકનામ ગામે રબારી વાસમાં નાગ નીકળતા લોકોએ નાગના દર્શન કરીને આ પૂજન અર્ચન કર્યું હતું. નાગપંચમીના દિવસે જ નાગ નીકળતા લોકો તેમના દર્શનને શુભ માની રહ્યાં છે.