કેબિનેટ મંત્રી હોય કે ધારાસભ્ય તમામના ગામોમાં વેક્સિનેશનના આંકડા ખુબ ઓછા નોંધાઈ રહ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ જિલ્લામાં વેક્સિનમાં નિરસતા જોવા મળી
દીવા તળે અંધારુ, ભાજપના મોટા નેતાઓના ગામમાં કોરોનાની વેક્સિન અંગે નિરસતા
ગામડાઓમાં વેક્સિનેશન પ્રક્રિયાને લઈ નિરસતા
ભાજપના મોટા નેતાઓના વેક્સિન અંગે નિરસતા
કેબિનેટ મંત્રી,ધારાસભ્યના ગામોમાં નિરસ વેક્સિનેશન
કોરોનાની મહામારી બાદ દેશમાં રસીકરણની અભિયાનની શરૂઆત થઈ જેમાં શરૂઆતમાં કોરોના વોરિયર્સ ફ્રન્ટલાઈન વોરિયર્સ અને બાદમાં 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિનેશન આપવામાં આવતું હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરોમાં વેક્સિનેશનને લઈને જાગૃતિ આવી છે ત્યારે હજુ પણ ગામડાઓમાં વેક્સિનેશન પ્રક્રિયાને લઈ નિરસતા જોવા મળી રહી છે. કેબિનેટ મંત્રી હોય કે ધારાસભ્ય તમામના ગામોમાં વેક્સિનેશનના આંકડા જોઈને થઈ જશો સ્તબ્ધ કે કેટલી ધીમી ગતિએ ગામડાઓમાં વેક્સિનેશમ પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
ક્સિન સેન્ટરોની સુવિધા એટલી ઉપલબ્ધ નથી
ગામડાઓમાં વેક્સિનેશને પ્રક્રિયામાં લોકોમાં ડર હોવાનું પણ એક કારણ મનાઈ રહ્યું છે જેથી વેક્સિનેશન પ્રક્રિયા ખૂબ ધીમી ચાલી રહી છે બીજી તરફ યોગ્ય આયોજનનો અભાવ માનવામાં આવી રહ્યો છે ગામડાઓમાં જોઈએ તો વેક્સિન રજિસ્ટ્રેશન અને વેક્સિન સેન્ટરોની સુવિધા એટલી ઉપલબ્ધ ન હોવાને કારણે ઓછું વેક્સિનેશન જોવા મળી રહ્યું છે.
ગામોમાં વેક્સિનેશનના આંકડા ખુબ ઓછા નોંધાઈ
એટલું જ નહીં કેબિનેટ મંત્રી હોય કે ધારાસભ્ય તમામના ગામોમાં વેક્સિનેશનના આંકડા ખુબ ઓછા નોંધાઈ રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં વેક્સિનમાં નિરસતા જોવા મળી રહી છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીની વેક્સિનેશનની અપીલ બાદ પણ વેક્સિન લેવામાં લોકો નિરસતા દાખવી રહ્યા છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવલીયાના માદરે વતન અમરાપુરમાં માંડ માંડ વેક્સિનેશન થઈ રહ્યું છે. અમરાપુરમાં 786 માંથી માત્ર 135 લોકોએ જ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો જ્યારે માત્ર 38 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.
બીજા ડોઝમાં વેક્સિનની અછત અને નીરસતા બન્ને જવાબદાર
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરના ગામ બેદલામાં નિરસ વેક્સિનેશન જોવા મળી રહ્યું છે. બેદલામાં 481 માંથી 118 વેક્સિનનો પહેલો ડોઝ લીધો માત્ર 83એ વેક્સિનનો બીજો ડોઝ લીધો. જિલ્લા પંચાયત ના પ્રમુખ વેક્સિનેશન અપીલ કરે છે પણ તેના ગામમાં આ આંકડા ચોંકાવનારા છે.MLA લાખાભાઈ સાગઠિયાના ગામ ખીરસરામાં 100 ટકા સફળ વેક્સિનેશન નહી. ખીરસરા માં 307ના ટાર્ગેટ સામે 282 લોકો પહેલો ડોઝ અને 114 બીજો ડોઝ લીધો. MLA અરવિંદ રેયાણી ના ગુદા ગામે 199 ના લક્ષ્યાંક સામે 176 પહેલો ડોઝ લીધો 85 લોકોએ બીજો ડોઝ લીધો. સરકાર-સંગઠનમાં જવાબદારી નિભાવે છે તેમના વતનમાં ઓછું વેક્સિનેશ
જે લોકો સરકાર-સંગઠનમાં જવાબદારી નિભાવે છે તેમના વતનમાં ઓછું વેક્સિનેશન જોવા મળી રહ્યું છે. પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ડો ભરત બોધરાના ગામ કમલાપુરમાં ટાર્ગેટ પૈકી, 895 લોકોએ પહેલો ડોઝ કમલાપુરમાં લીધો બીજો 433 લોકોએ ડોઝ લીધો. આ તમામ આંકડાઓ જિલ્લા પંચાયત ની આરોગ્ય શાખાના સૂત્રો પાસેથી મેળવ્યા છે. આ ગામડા ઓ માં 45વર્ષ થી ઉપરના નુ વેક્સિન નૉ તબક્કો ચાલ્યો છે. કેબિનેટ મંત્રી બાવલીયા અને જિલ્લા પંચાયત ના પ્રમુખ બોદરે ગામથી 100% વેક્સિનનો આરંભ કરવો જોઇએ તેવી ચર્ચા ઉઠી છે.