રામાનંદ સાગરની રામાયણમાં હનુમાનની ભૂમિકા ભજવનાર અભિનેતા દારા સિંહ હવે આપણી વચ્ચે નથી પરંતુ રામાયણમાં 'હનુમાન' બનેલા અભિનેતાને આજે પણ લોકો યાદ કરે છે. જ્યારે 'હનુમાન'નો રોલ તેમને ઓફર કરવામાં આવ્યું હતું ત્યારે તેમની ઉંમર 60 વર્ષની હતી. એ સમયે દારા સિંહના ઘૂંટણમાં દુખાવાની સમસ્યાથી પરેશાન હતા. રામાયણના 'હનુમાન'ના રોલ માટે દારા સિંહ રામાનંદ સાગરની પહેલી પસંદ હતા.
રામાનંદ સાગરની રામાયણમાં દારા સિંહ હતા હનુમાનના રોલ માટેની પહેલી પસંદ
60 વર્ષની ઉંમરે તેમને હનુમાનનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો
શૂટિંગ દરમિયાન દારા સિંહ માત્ર 100 બદામ જ ખાતા હતા
રામાયણમાં હનુમાનનો રોલ પ્લે કરનાર દારા સિંહ પહેલાં પર ફિલ્મ 'બજરંગબલી'માં હનુમાનની ભૂમિકા ભજવી ચૂક્યા હતા. આ ફિલ્મ 22 સપ્ટેમ્બર 1976માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. જ્યારે દારા સિંહે રામાનંદ સાગરને તેમના ઘૂંટણના દુખાવાની સમસ્યા વિશે જણાવ્યું તો, રામાનંદ સાગરે કહ્યું કે, હું નહીં પણ ભગવાન ઈચ્છે છે કે, તમે આ રોલ નિભાવો. આ પાછળનું કારણ જણાવતા રામાનંદ સાગરે કહ્યું હતું કે, મેં આ સપનામાં જોયું હતું. જેથી રામાનંદ સાગર સાથે પરિવાર જેવો સંબંધ હોવાથી દારા સિંહ તેમને ના કહી શક્યા નહીં.
ત્યારે દારા સિંહના દિકરા વિન્દુ દારા સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, પિતા દારા સિંહ ઉમર ગામમાં ચાલી રહેલી રામાયણની શૂટિંગ દરમિયાન આખો દિવસ હનુમાનનો માસ્ક પહેરી રાખતા હતા અને ડાયટમાં માત્ર 100 બદામ અને 3 નારિયેળ પાણી પીતા હતા. જેથી તેમને ખાવા-પીવા માટે વારેઘડીયે માસ્ક ઉતારવો ન પડે અને મેકઅપ મેનને વારંવાર પરેશાન ન થવું પડે.
આ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં વિન્દુ સિંહે જણાવ્યું હતું કે, આ રોલ માટે પિતાએ શૂટિંગ દરમિયાન નોનવેજ ખાવાનું છોડી દીધું હતું. તમને જણાવી દઈએ કે, દારા સિહં ટેલિવિઝન સીરિયલોની સાથે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.