રાજ્યમાં મગફળીકાંડ અને તુવેરકાંડ બાદ હવે પ્રકાશમાં આવેલા ખાતર કૌભાંડનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. ખાતર કૌભાંડ રાજ્યમાં દરેક જિલ્લામાં હાલ વિવાદનું કારણ બન્યું છે. જૂનાગઢથી પ્રકાશમાં આવેલું આ કૌભાંડ ધીમે-ધીમે વડોદરા, રાજકોટ અને બનાસકાંઠામાં પણ બહાર આવ્યું. જૂનાગઢમાં ખાતરકાંડ મામલે રાજ્યભરમાં ખેડૂતોમાં રોષ જોવાં મળી રહ્યો છે. જેને લઈને આજે પાંચમા દિવસે પણ ખાતરનું વેચાણ બંધ છે.