માસૂમ બાળપણ પર જ્યારે આતંક કે નક્સલવાદનો પંજો પડે છે ત્યારે દેશનું ભવિષ્ય અકાળે કરમાઈ જતું હોય છે. છત્તીસગઢનાં દંતેવાડામાં અનેક માસૂમો નક્સલીઓના પંજામાં કચડાઈ રહ્યા છે અને સરકાર ‘તમાશો’ જોવા સિવાય બીજું કંઈ કરી રહી નથી. નક્સલીઓએ સ્કૂલોની દીવાલ પર, વર્ગખંડની અંદર લખેલા સંદેશા કે સૂત્રો ભૂંસવાની હિંમત પણ કોઈ કરતું નથી. આ તમામ વાતો રાષ્ટ્રવિરોધી છે અને સ્થાનિક લોકોને સરકાર સામે ઉશ્કેરતી છે.
માસૂમ બાળપણ પર જ્યારે આતંક કે નક્સલવાદનો પંજો પડે છે ત્યારે દેશનું ભવિષ્ય અકાળે કરમાઈ જતું હોય છે. છત્તીસગઢ (Chhattisgarh) નાં દંતેવાડા (Dantewada) માં અનેક માસૂમો નક્સલીઓ (Naxalite) ના પંજામાં કચડાઈ રહ્યા છે અને સરકાર ‘તમાશો’ જોવા સિવાય બીજું કંઈ કરી રહી નથી. દંતેવાડાનાં અંતરિયાળ વિસ્તારોમાં આવેલી સ્કૂલોના બાળકો તેમના ક્લાસમાં પુસ્તકોનો અભ્યાસ શરૂ કરે કે કક્કો-બારાક્ષરી શીખે તે પહેલાં જ નક્સલીઓના સંદેશ વાંચવા લાગે છે.
એવું પણ નથી કે આ બાળકો ચોરીછૂપે નક્સલીઓના સંદેશ કે સૂત્રો વાંચે છે. તેઓ સામુહિક રીતે, ઊંચા અવાજે આખી શાળા ગૂંજી ઉઠે એ રીતે આ દેશવિરોધી સંદેશ વાંચતા હોય છે. શિક્ષકો પણ મજબૂર બનીને આ બધું જોતા રહે છે. કોઈની હિંમત નથી કે બાળકોને સાચી દિશા બતાવીને તેમને સમજાવે કે આ નક્સલીઓ હકીકતમાં તો દેશના દુશ્મનો છે અને તેમની આ તમામ વાતો ભ્રામક છે.
નક્સલીઓએ સ્કૂલોની દીવાલ પર, વર્ગખંડની અંદર લખેલા સંદેશા કે સૂત્રો ભૂંસવાની હિંમત પણ કોઈ કરતું નથી. આ તમામ વાતો રાષ્ટ્રવિરોધી છે અને સ્થાનિક લોકોને સરકાર સામે ઉશ્કેરતી છે. છ મહિના પહેલા વિધાનસભા ચૂંટણી દરમિયાન નક્સલીઓએ સ્કૂલોમાં આવીને આ સંદેશાઓ લખ્યા હતાં. હિંસાનાં પ્રતિક સમા લાલ રંગે લખાયેલા આ સંદેશામાં ચૂંટણી, જનપ્રતિનિધિઓ અને સરકારનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો છે.
સરકારી સ્કૂલોની દીવાલ પર જ નહીં, પણ બારી-દરવાજા, ફર્શ અને બ્લેકબોર્ડ પર પણ લાલ રંગે અનેક દેશવિરોધી વાતો લખવામાં આવી છે, જેનું પઠન માસૂમ બાળકો રોજ કરે છે. દંતેવાડા જિલ્લાના નીલવાયા, બુરગુમ, પોટાલી, કિકિરપાલ, કુટરેમ, હિરોલી, મારજૂમ, પરચેલી, ચિકપાલ, કૌરગાંવ, ચેરપાલ, મંગનાર, કૌશલનાર વગેરે ગામની સરકારી સ્કૂલોની દીવાલો આજે પણ નક્સલી સંદેશાઓ, સૂત્રો અને ધમકીઓથી ભરેલી છે. દંતેવાડાનાં જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ કર્મા જણાવે છે કે, મેં ચાર્જ લીધા બાદ તમામ બીઈઓ અને આચાર્યોને આ નક્સલી સંદેશા અને સૂત્રો ભૂંસી નાંખવાના આદેશો આપ્યા હતા, પણ હજુ સુધી ડરના કારણે તેનું પાલન થયું નથી.