વડોદરાની દંતેશ્વરની 100 કરોડની સરકારી જમીન કૌભાંડ મામલે પોલીસ દ્વારા સંજયસિંહ પરમારનાં બે પુત્રોની ધરપકડ કરી છે. 3.97 કરોડની છેંતરપીંડીનાં ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.
દંતેશ્વરની 100 કરોડની સરકારી જામીન કોંભાડનો મામલો
સંજયસિંહ પરમારના બે પુત્રોની ધરપકડ
3 કરોડ 97 લાખની છેતરપિંડીના ગુનામા કરાઇ ધરપકડ
વડોદરાના દંતેશ્વરની 100 કરોડની સરકારી જમીન કૌંભાડનો મામલો સામે આવ્યો છે. આ કૌંભાડ સંજયસિંહ પરમાર નામના વ્યાક્તિએ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. અને આ કેસમાં સંજયસિંહ પરમારના બે દિકરાની ધરપકડ કરવામાં આવી છે. સરકારી જમીન પર સંજયસિંહ પરમારએ પોતાનો વ્હાઈટ હાઉસ બંગલો બનાવ્યો હતો. સંજયસિંહ પરમારે ખોટા દસ્તાવેજ ઉભા કર્યો હતા. અને જમીનના દસ્તાવેજ કરી અન્ય લોકોને વેચવામાં આવતી હતી. 3 કરોડ 97 લાખની છેતરરપિંડીના ગુનામાં ધરપકડ થઈ છે. આ કેસમાં સંજયસિંહના બે પુત્રો કુમારસિંહ અને હર્ષ પરમારની પણ ધરપકડ કરાઈ છે.
શુ હતો સમગ્ર મામલો?
વડોદરામાં ભૂમાફીયા સંજયસિંહ પરમારે દંતેશ્વર કસ્બાની વાઘોડિયા રોડ ડી માર્ટની પાછળ આવેલી 100 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. આ સાથે આ જમીન ઉપર પોતાનો આલિશાન બંગલો ઉપરાંત ડુપ્લેક્ષની સ્કીમ પણ મૂકી હતી. ઉપરાંત આ સ્કીમના ડુપ્લેક્ષના 27 લોકોને દસ્તાવેજો પણ કરી આપ્યા હતા. જે બાદ આ વ્હાઇટ હાઉસ અને કાનન વિલાની જમીન સરકારી હોવાનું સામે આવ્યું હતું. આ મામલો બહાર આવ્યા બાદ કલેક્ટર દ્વારા સુઓમોટો કરી ડે.કલેક્ટરને તપાસ સોંપી હતી. વર્ષ 2012-13 માં તલાટીએ લેન્ડ રેકર્ડમાં ગેરકાયદેસર એન્ટ્રી કરી હતી
તપાસમાં સામે આવ્યું હતું કે, સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામની 9 વર્ષથી તલાટીને ખબર હતી. તલાટીએ લેન્ડ રેકર્ડમાં વર્ષ 2012-13માં ગેરકાયદે બાંધકામ અંગે એન્ટી પાડી હતી. સાથે જ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તલાટીએ લેન્ડ રેકર્ડમાં "બી.પી. બાંધકામ" તેવી સ્પષ્ટ એન્ટ્રી પાડી હતી. છેલ્લા 9 વર્ષથી ગેરકાયદેસર બાંધકામની જાણ હોવા છતાં કલેક્ટર કચેરીના તંત્રએ કોઈ પગલાં ન ભર્યા. આ ઉપરાંત આ ગેરકાયદેસર બાંધકામ કરનારાએ બાજુની જ સરકારી જમીન પર કાનન વિલા નામની એક સાઈટ બનાવી હતી. તેણે કાનન વિલામાં 27 લોકોને દસ્તાવેજ પણ કરી આપ્યા હતા. બોગસ બિન ખેતીનો હુકમ, બોગસ રજા ચિઠ્ઠી છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નહોતી.
સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાયેલ વ્હાઇટ હાઉસ નામે ઓળખાતા લક્ષ્મી નિવાસ નામના બંગલાને સ્વેચ્છાએ તોડી નાખવા માટે મામલતદાર કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. તો તેની નજીક આવેલા કાનન વિલા સ્કીમમાં દસ્તાવેજો કરી લેનાર 27ને પણ નોટિસો આપી સ્વેચ્છાએ તોડી પાડવાની સૂચના આપવામાં આવી હતી.ત્યારબાદ સિટી સર્વે કચેરી મામલતદાર દક્ષિણના કલમ 61 મુજબ હુકમ અંતર્ગત અહીં સમગ્ર જમીન પર ઉભા થયેલા ગેરકાયદેસર દબાણો તોડી પડાયું હતું.