પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ પાકિસ્તાનના શાસકો અને ક્રિકેટ બોર્ડ પર ધ્યાન દોરવા યુ ટ્યૂબનો વીડિયો બહાર પાડ્યો છે. 39 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટરે વીડિયોની શરૂઆતમાં તેના પ્રશંસકોને શુભેચ્છાઓ આપીને નમસ્તે અને સલામ આપી હતી. એટલું જ નહીં તેઓએ જય શ્રીરામ પણ કહ્યું હતું.
પાકિસ્તાનના ક્રિકેટરનો વીડિયો વાયરલ
વીડિયોમાં ક્રિકેટરે પ્રશંસકોને પાઠવી શુભકામનાઓ
નમસ્તે, સલામ લખી જય શ્રીરામ પણ લખ્યું
કનેરિયાના વીડિયોમાં પોતાની વાત મૂકતા પહેલાં આવું કહી રહ્યા હતા. નમસ્તે, સલામ અને જય શ્રીરામ. હાથ જોડીને કનેરિયા કહે છેસૌથી પહેલાં હું બધાનો ધન્યવાદ કરવા ઈચ્છું છું. અને પછી તેઓ મુદ્દા પર ઉતરી આવ્યા છે.
People who are talking nonsense about me creating my own YT channel, what do you want? Forget about cricket. I have stopped getting work on channel and I am yet to receive the payment for the channel on which I have worked on. Should I finish off myself? https://t.co/ovORBWc6vg
કનેરિયાએ કહ્યું કે જે લોકો એમ કહી રહ્યા છે મેં આ બધું મારી યૂટ્યૂબ ચેનલને માટે લોકપ્રિયતા મેળવવા માટે કર્યું છે તેમને હું એટલું જ કહીશ કે આ વાતની શરૂઆત મેં કરી નથી. પરંતુ શોએબ અખ્તરે નેશનલ ટેલિવિઝન પર તેનો પહેલી વાર ઉલ્લેખ કર્યો હતો. શોએબ અખ્તરે ગુરુવારે દાવો કર્યો છે કે કેટલાક પાકિસ્તાની ક્રિકેટર કનેરિયાની સાથે ખાવાનું ખાતા પણ અચકાતા હતા કારણ કે તેઓ હિંદું હતા.
મેં ક્રિકેટ પિચ પર મારું લોહી આપ્યું છેઃ કનેરિયા
કોઈનું નામ લીધા વિના કનેરિયાએ કહ્યું કે ઘણા એવા ખેલાડીઓ છે જેમણે મેચ ફિક્સ કરીને દેશને 'વેચ્યો' છે, પરંતુ આ છતાં, આજે તેઓ ટીમમાં છે અને દેશ માટે રમી રહ્યા છે. કનેરિયાએ કહ્યું, 'લોકો એમ કહેતા હોય છે કે મેં પાકિસ્તાન માટે 10 વર્ષ રમ્યા છે, પરંતુ મેં મારા લોહીની કિંમતે 10 વર્ષ રમ્યા છે. મેં ક્રિકેટ પિચ પર મારું લોહી આપ્યું છે. મારી આંગળીઓમાંથી લોહી નીકળ્યું ત્યારે પણ મેં બોલિંગ ચાલુ રાખી. અહીં કેટલાક લોકો છે જેમણે પોતાનો દેશ વેચી દીધો છે અને આજે તે ટીમમાં રમે છે. મેં ક્યારેય મારા દેશને પૈસા માટે વેચ્યો નહીં.
ધર્મના આધારે કોઈ પણ ખેલાડી સાથે ભેદભાવ કરવામાં આવ્યો નથીઃ અખ્તર
પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે સ્પષ્ટતા કરી છે કે કનેરિયા અંગેના તેમના નિવેદનની ખોટી રજૂઆત કરવામાં આવી છે. અખ્તરના કહેવા મુજબ, તેમણે કદી કહ્યું નથી કે હિન્દુ હોવાને કારણે કનેરિયાએ પાકિસ્તાની ટીમમાં ગેરવર્તન કર્યુ હતું. અખ્તરે કહ્યું કે પાકિસ્તાની ટીમમાં આવી સંસ્કૃતિ ક્યારેય નહોતી થઈ અને ખાસ કરીને ધર્મના આધારે કોઈ પણ ખેલાડી સાથે ભેદભાવ કરવામાં આવ્યો નથી.