સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને આસપાસના દસ ગામના ખેડૂતોની સમસ્યા ચરમસીમાએ પહોંચતા આજે સાવરકુંડલા પીજીવીસીએલની ડિવિઝન કચેરીએ ઘેરાવ કરી ઉગ્ર રજૂઆતો કરી
સિંચાઇ માટે રાત્રે વીજળી મળવાથી રહે છે જોખમ
10 ગામના ખેડૂતો સાથે MLAએ દ્વારા કચેરીનો ઘેરાવ કર્યો
PGVCLની દિવાકર યોજના લાગુ કરવા ખેડૂતોની માંગ
સાવરકુંડલા વિસ્તારમાં રાત્રે વીજળી આવતી હોય ખેડૂતોને પારાવાર મુશ્કેલી અને બંધ મીટરના વીજબિલ બાબતે ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના દસ ગામના ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો
સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને આસપાસના દસ ગામના ખેડૂતોની સમસ્યા ચરમસીમાએ પહોંચતા આજે સાવરકુંડલા પીજીવીસીએલની ડિવિઝન કચેરીએ ઘેરાવ કરી ઉગ્ર રજૂઆતો કરી ખેડૂતોને રાત્રે વીજળી મળે તેવી ઉગ્ર રજૂઆતો કરી આ ઉપરાંત ટાઉતે વાવાઝોડાથી બંધ મિટરોના તોતિંગ વીજબિલ બંધ કરવાની પણ ખેડૂતોની ઉગ્ર માંગ અધિકારીઓ સમક્ષ કરી.. સરકારની દિવાકર યોજનાનો આ વિસ્તારમાં ફિયાસ્કો થયો છે અને સરકારને આડે હાથ લેતા પ્રતાપ દુધાતે જ્યા સુધી ખેડૂતોના પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી ઉગ્ર રજુઆતો કરવામાં આવશે અને કચેરીનો ઘેરાવ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું આ ઉપરાંત પ્રતાપ દુધાતે ટેલિફોનિક સરકારી અધિકારીઓ સાથે પણ વાત કરી હતી જોકે પ્રતાપ અને ખેડૂતોની આ માંગણી વ્યાજબી હોઈ અધિકારીઓ જવાબ દઈ શક્યા નહોતા.
દિવાકર યોજના લાગુ કરો
સરકારની દિવાકર યોજના સાવરકુંડલાના દસ ગામમાં લાગુ નથી થઈ અને ખેડૂતોને રાત્રે પાણી વાળવા માં અનેક પ્રકારની પરેશાનીઓ થઈ રહી છે ઠંડીનો સામનો કરવો પડે છે આ ઉપરાંત જંગલી પશુઓની પણ બીક લાગતી હોય ખેડૂતો આ બાબતે ઉગ્ર જોવા મળ્યા તેમજ બંધ મિટરોના આપવામાં આવતા વીજ બિલ બાબતે પણ તેમની રજૂઆત વ્યાજબી હોય અધિકારીઓએ ગેંગે-ફેફે કર્યું.
દિવસે આપો વીજળી
છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની માંગણી દિવસે વીજળી આપવાની છે તે વ્યાજબી છે સરકારે તે માટે દિવાકર યોજના લાગુ પડે છે પરંતુ સાવરકુંડલાના આ ગામડાઓમાં હજુ સુધી આ યોજના લાગુ કરવામાં નહીં આવતા ખેડૂતો એ ધારાસભ્યને સાથે રાખીને આંદોલન કરવું પડ્યું તે હકીકત છે