હાર્ટની બીમારી ખૂબ ખતરનાક હોય છે. પરંતુ જો તેની સમય પહેલા જાણકારી લેવામાં આવે તો લાખો લોકોના જીવ બચી શકે છે. વૈજ્ઞાનિકોએ એવી ટેક્નિક શોધી કાઢી છે.
વૈજ્ઞાનિકોએ શોધી ગજબ ટેક્નિક
3 વર્ષ પહેલા જ ખબર પડી જશે હાર્ટ એટેકની
જાણો કઈ રીતે
ભારતમાં હાર્ટની બીમારીઓથી પીડિત દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. અનહેલ્દી લાઈફસ્ટાઈલ અને ઓઈલ યુક્ત ખોરાક ખાવાના કારણે યુવાઓને પણ હાર્ટ ડિઝીઝ ઘણા હદ સુધી પ્રભાવિત કરી રહ્યું છે. પરંતુ તમે આ ખતરાને સમય રહેતા ઓળખી શકો છો.
3 વર્ષ પહેલા ખબર પડી જશે હાર્ટ એટેકનો ખતરો
હવે સાઈન્ટિસ્ટ્સે એવી રીત શોધી કાઢી છે જેના દ્વારા તમે લગભગ 3 વર્ષ પહેલા હાર્ટ એટેકના ખતરાની જાણકારી મેળવી શકો છો. આ એક એવો શાનદાર ટેસ્ટ છે જેનાથી હાર્ટની બીમારીઓથી થતી મોતનો ખતરો ઘણા હદ સુધી ઓછો થઈ જશે.
સાયન્ટિસ્ટે રિસર્ચમાં કર્યો મોટો ખુલાસો
સાયન્ટિસ્ટે હાર્ટ એટેકના જુના દર્દીઓનો સી-રિએક્ટિવ પ્રોટીનનો ટેસ્ટ કર્યો. તેનાથી ઈન્ફ્લેમેશનની જાણકારી મળી જાય છે. સાથે જ ટ્રોપોનિનનો પણ સ્ટેડર્ડ ટેસ્ટ કરવામાં આવ્યો. ટ્રોપોનિન એ ખાસ પ્રોટીન છે જે હાર્ટના ડેમેજ થવા પર લોહીમાંથી નિકળે છે. સ્ટડી અનુસાર અઢી લાખ દર્દીઓમાં જે જિનનો સીઆરપી લેવલ વધારે હતો અને ટ્રોપોનન ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા તેમાં 3 વર્ષમાં મોતનો ખતરો લગભગ 35 ટકા હતો.
લાખો લોકોનો બચી જશે જીવ
વૈજ્ઞાનિકોની માનીએ તો જો યોગ્ય સમય પર મોનિટરિંગ કરવામાં આવશે અને એન્ટી-ઈન્ફ્લેમેટરીઝ દવાઓનું સેવન થાય તો લાખો લોકોને મોતથી બચાવી શકાય છે. ઈમ્પીરિયલ કોલેજ ઓફ લંડનના ડો. રમજી ખમીઝે જણાવ્યું કે આ ટેસ્ટની શોધ એવા સમયે થઈ જ્યારે બીજા ટેસ્ટથી વધારે કમજોર લોકોમાં તેના ખતરાની ઓળખ કરવામાં આવી રહી હતી.
43% સુધી ઓછો થઈ શકે છે ખતરો
આ રિસર્ત માટે ફંડ જાહેર કરનાર બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના પ્રોફેસર જેમ્સ લીપરે જણાવ્યું, "આ ડોક્ટર્સની મેડિકલ કિટમાં શામેલ થનાર એક ખૂબ જ કિંમતી ટૂલ છે." આ સ્ટડીમાં જાણવા મળ્યું કે દિવસમાં લગભગ 4 કલાક પોતાને એક્ટિવ રાખવાથી હાર્ટની બીમારીનો ખતરો 43 ટકા ઓછો થઈ જાય છે.