દુનિયામાં 70 ટકાથી વધુ લોકોએ કોરોનાની વેક્સીન લગાવી દીધી છે. જેની કેટલીક સાઈડ ઈફેક્ટ સામે આવ્યા છે. તે સિવાય કોઈ પ્રતિકુલ પરિણામ સામે આવ્યા નથી.
મોડર્ના અને ફાઈઝરે મેસેન્જર આરએનએની ટેકનોલોજી પર આધારીત વેક્સીન બનાવી
આરએનએ આધારીત વેક્સીનની લોકો પર વિપરીત અસર થવાનો દાવોઃજોસેફ ફ્રેમૈન
વિશ્વમાં 71.8 ટકા વસ્તીને કોરોના વેક્સીન લાગી ચૂકી છે
પાછળના ત્રણ વર્ષોમાં કોરોનાએ આખી દુનિયાની દિશા અને દશા બદલી દીધી છે. ત્યારે આજે પણ કોરોનાએ આપણો સાથ છોડ્યો નથી અને સમય સમય પર દુનિયાનાં કોઈપણ હિસ્સામાં તેનો કહેર વર્તાવે છે. કોરોના પર કાબૂ મેળવવા દુનિયા ભરમાં કેટલીયે પ્રકારની વેક્સીન બનાવવામાં આવી છે. પરંતું મેસેન્જર આરએનએની ટેકનોલોજી પર આધારિત વેક્સીન સૌથી વધુ લોકોને લગાવવામાં આવી છે. વિશ્વની બે પ્રસિદ્ધ દવા નિર્માતા કંપની મોડર્ના અને ફાઈઝરે મૈસેજર આરએનએની ટેકનોલોજી પર આધારીત વેક્સીન બનાવી છે. તેમજ અમેરિકાના એક ફિઝિશિયન અને ક્લિનિકલ વૈજ્ઞાનિક જોસેફ ફ્રેમૈને એક આશ્ચર્યજનક દાવો કરી આખી દુનિયામાં સનસનાટી ફેલાવી દીધી છે. ત્યારે તે દાવો કેટલો સાચો છે તેની તપાસ હાલ ચાલી રહી છે. જોસેફે દાવો કર્યો છે કે દુનિયામાં મૈસેંજર આરએમએ ટેકનોલોજી પર આધારિત જેટલી પણ વેક્સીન છે જેની લોકો પર ગંભીર રૂપ થી વિપરીત પ્રભાવ થવાના આશંકા વધી શકે છે. જેમાં અચાનક એટેક આવવાથી મૃત્યું પણ થઈ શકે છે. ત્યારે અચાનક કાર્ડિયોક મૃત્યુમાં તમારૂ દિલ એકદમ કામ કરવાનું બંધ કરી દે છે. જેમાં દર્દીની તાત્કાલીક મોત પણ થઈ શકે છે.
BREAKING:
Lead author of peer reviewed research re-analysing Pfizer & Moderna trials on mRNA vaccine @JosephFraiman calls for immediate suspension of jab due to serious harms.
‘We have conclusive evidence that the vaccines are inducing sudden cardiac death’
જોસેફના વીડિયોને ભારતીય એક ર્ડાક્ટરે ટ્વિટ કર્યો છે
મળતી માહિતી મુજબ જોસેફ ફ્રેમાનને સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશના માધ્યમથી એવો દાવો કર્યો છે. પરંતું આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા છે. જોસેફ ફ્રેમેન મેસેન્જર આરએનએ કોવિડ-19 વેક્સીન લોકો પર કેવો પ્રભાવનાં મૂલ્યાંકન સબંધીત રિસર્ચ પેપરના મુખ્ય પ્રમુખ લેખક છે. એમણે વીડિયોમાં દાવો કર્યો છે કે એમઆરએનએ વેક્સીન 800 માંથી એક વ્યક્તિ પર ગંભીર રીતે વિપરીત અસર કરી શકે છે. જોસેફનાં વીડિયો મેસેજને એક ભારતીય ર્ડાક્ટર અસીમ મલ્હોત્રાએ ટ્વિટ કર્યો છે અને લખ્યું છે કે ફાઈઝ અને મોર્ડર્નાનું પુનઃમૂલ્યાંકન સબંધીત રિસર્ચ પેપરનાં પ્રમુખ લેખક જોસેફ ફ્રેમૈનમે મેસેન્જર આરએનએ ટેકનોલોજી પર આધારિત વેક્સીનને રદ્દ કરવાનો અનુરોધ કર્યો છે.
દુનિયાભરમાં કોઈ વૈજ્ઞાનિકે જોસેફ ફ્રીમૈનનાં દાવા પર પોતાની પ્રતિક્રિયા આપી નથી
ર્ડા.મલ્હોત્રાએ ટ્વિટ કરીને જોસેફ ફ્રીમૈનનાં જણાવ્યા અનુસાર રિસર્ચમાં આ વાત પુરાવા છે કે એમ આરએમએ વેક્સીન ખતરનાકરૂપ થી સડેન કાર્ડિયક અરેસ્ટને પ્રભાવિત કે છે. પરંતું અત્યાર સુધી દુનિયાભરમાં કોઈ વૈજ્ઞાનિકે જોસેફ ફ્રીમૈનનાં દાવા પર પોતાની પ્રતિક્રિયા આપી નથી. જોસેફના વાત કેટલી સાચી છે તે આવનારો સમય જ દેખાડશે. ત્યારે એક અખબારના જણાવ્યા મુજબ અત્યાર સુધી વિશ્વમાં 5.53 અબજ લોકોને કોવિડની રસી લગાવવામાં આવી છે. એટલે કે વિશ્વમાં 71.8 ટકા વસ્તીને કોરોના વેક્સીન લાગી ચૂકી છે.