દેશમાં કોરોનાના 16326 નવા કેસ મળ્યા છે. પરંતુ મોતની સંખ્યામાં વધારો થયો છે.
24 કલાકમાં 666 લોકોના મોત
એક દિવસમાં 16,326 નવા કેસ આવ્યા, 17,677 લોકો સાજા થયા
મરનારાની કુલ સંખ્યા ઝડપથી વધીને 4, 53, 708 થઈ ગઈ
24 કલાકમાં 666 લોકોના મોત
ગત 24 કલાકમાં 666 લોકોના મોત થયા છે. જો કે નવા કેસોનો આંકડો ઓછો થયો છે. ગત એક દિવસમાં 16,326 નવા કેસ આવ્યા છે. જ્યારે 17,677 લોકો સાજા થયા છે. જો કે મોતે ચિંતા વધારી છે.
COVID19 | India reports 16,326 fresh cases and 666 deaths in the last 24 hours; Active cases stand at 1,73,728: Ministry of Health and Family Welfare pic.twitter.com/bw57WjO1g5
રિકવરી રેટની વાત કરીએ તો હવે આ આંકડો 98.16 ટકા થઈ ગયો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો હવે આ આંકડો 1,73, 728 રહી ગઈ છે. ગત 233 દિવસમાં એટલે કે 8 મહિનામાં સૌથી ઔછી સંખ્યા છે. આની સાથે વીકલી પોઝિટિવિટી રેટમાં તેજીથી ઘટાડો થયો છે. હવે 1.24 ટકા થઈ ગયો છે. આ આંકડો ગત એક મહિનાથી 2 ટકાથી પણ ઓછો બનેલો છે. ડેલી પોઝિટિવીટી રેટમાં તેજીથી ઘટાડો આવ્યો છે. આ આંકડો હવે 1.20 ટકા છે. શુક્રવારે દેશમાં 1 અરબથી વધારે લોકોને રસી લાગ્યાનું સેલિબ્રેશન કરવામાં આવ્યું.
ફેસ્ટિવલ સિઝન દરમિયાન મોતના આંકડાએ ચિંતા વધારી
સેલિબ્રેશનના નેક્સ ડે મોતનો આંકડો અચાનક વધી જતા ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ફેસ્ટિવલ સિઝન દરમિયાન મોતના આંકડાએ ચિંતા વધારી છે. દેશભરમાં 1 અરબથી વધારે કોરોનાની રસી લાગી ચૂકી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશને સંબોધિત પણ કર્યો.
મરનારાની કુલ સંખ્યા ઝડપથી વધીને 4, 53, 708 થઈ ગઈ
દેશમાં કોરોનાથી હવે મરનારાની કુલ સંખ્યા ઝડપથી વધીને 4, 53, 708 થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે સતત 29માં દિવસે એવું થયું છે જ્યારે કોરોનાના નવા કેસની સંખ્યા 30, 000થી ઓછી છે. જ્યારે 118 મો દિવસ છે. જ્યારે નવા મામલા 50,000થી ઓછા છે. આ દરમિયાન રસીકરણની સ્પીડ પણ બનેલી છે. ગત એક દિવસમાં 68 લાખથી વધારે કોરોનાની રસી લગાવાઈ છે. આ રીતે કુલ રસીકરણનો આંકડો દેશમાં 1 અરબ 1 કરોડને પાર પહોંચી ગયો છે.