દંગલ, સિક્રેટ સુપર સ્ટાર જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેચનારી અને દંગલ ગર્લના નામથી પ્રખ્યાત અભિનેત્રી ઝાયરા વસીમ બોલિવૂડને અલવિદા કહી ચૂકી છે, પરંતુ તે સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાના મંતવ્યો માટે ચર્ચામાં રહે છે. કાશ્મીરથી જોડાયેલી ઝાયરા અત્યારે ભારતની વર્તમાન પરિસ્થિતિ પર બોલવાના કારણે ચર્ચામાં છે. તેણે સોશિયલ મીડિયા પર દેશની પરિસ્થિતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે.
નાની ઉંમરમાં જ અભિનેત્રીએ મેળવી હતી મોટી સફળતા
ધર્મના નામે તેણે બોલિવૂડને કહી દીધું હતું અલવિદા
સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા કટાક્ષ કરતી રહે છે આ અભિનેત્રી
ઝાયરા વસીમે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કર્યું છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું, 'સવાલ એ હોવો જોઈએ કે,' તમને રાતે શાંતિથી ઊંઘ કઈ રીતે આવી જાય છે? 'ના' તમે કેરી કેવી રીતે ખાશો.' ઝાયરા વસીમે આ ટ્વિટ દ્વારા વડા પ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. પીએમ મોદીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને કેરી પસંદ છે. જેની મીડિયા અને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. હવે તમામ સોશિયલ મીડિયા યુઝર્સ અને તેમના પ્રશંસકો ઝાયરા વસીમના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
The question should’ve been “Aapko raat ko sukoon ki neend kaise aajati hai”. NOT “Aap aam kaise khate hai”. 💔
અગાઉ ઝાયરા વસીમ જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપવાના કારણે ચર્ચામાં હતી. જમ્મુ-કાશ્મીરમાં કલમ 37૦ હટાવ્યાને છ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં જ્યારે આ કલમ હટાવી હતી ત્યારે વિપક્ષે ખૂબ હોબાળો મચાવ્યો હતો. આ સાથે બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓએ પણ પોતાનો પ્રતિસાદ આપ્યો હતો. આર્ટિકલ 37૦ લાગુ થયાને છ મહિનાથી વધુ સમય પસાર થયા બાદ અભિનેત્રી ઝાયરા વસીમે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી અને આ પોસ્ટ માટે ઝાયરા પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
ઝાયરા વસીમની આ પોસ્ટ એ સમયે ખૂબ ચર્ચામાં રહી હતી, કારણ કે તે કાશ્મીરીની રહેવાસી છે. ઝાયરાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'કાશ્મીરીઓ સતત આશા અને હતાશા વચ્ચે લડતા રહે છે. નિરાશા અને દુખની જગ્યાએ શાંતિનું જૂઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. કોઈપણ કાશ્મીરીઓની સ્વતંત્રતા પર પ્રતિબંધ લગાવી શકે છે. અમે કેમ કોઈ ડર અને ચિંતા વિના સામાન્ય લોકોની જેમ જીવી શકીએ નહીં? આવા હજારો સવાલ મારા મનમાં ઉઠે છે.
ઝાયરાએ તેની પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, સરકાર આ સવાલોનો જવાબ આપવાનું તો ઠીક પણ સાંભળવા પણ માંગતી નથી. ઝાયરા અહીં રોકાઈ નહીં. એ પછી ઝાયરા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કટાક્ષ કર્યો. ઝાયરાએ લખ્યું, મીડિયાએ કાશ્મીરની સ્થિતિની જે તસવીર દેખાડી છે તેના પર વિશ્વાસ ન કરો. અમારા અવાજને ચુપ કરાવી દેવામાં આવ્યો છે અને ક્યાં સુધી.
તમને જણાવી દઈએ કે જ્યારે કાશ્મીરમાં કલમ 370 હટાવવામાં આવી હતી, એ સમયે ઝાયરાએ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી હતી. ઝાયરાએ લખ્યું હતું, આ સમય પર પસાર થઈ જશે. ઝાયરા વસીમે દંગલ, સિક્રેટ સુપર સ્ટાર જેવી બે સુપરહિટ ફિલ્મોમાં કામ કરીને બોલિવૂડ છોડવાનો નિર્ણય લીધો હતો. જેની પાછળનું કારણ અભિનેત્રીએ ધર્મથી દૂર થઈ જવું જણાવ્યું હતું.