અંગ્રેજોની ગુલામીની ઝંઝીરોમાં ઝકડાયેલા ભારતને આઝાદ કરવામાં સ્વતંત્ર સેનાનીના બલિદાનોની યાદ આવે એ સ્વાભાવિક છે ત્યારે નવસારીનું પવિત્ર દાંડી ગામ આ આઝાદીમાં વિશેષ મહત્વ ધરાવે છે.
નવસારીના દાંડી સુધી અંગ્રેજ સરકાર સામે આંદોલનનો મોરચો મંડાયો હતો
પંચાયતી રાજની શરૂઆતથી લઈ દાંડી ગામમાં આજ સુધી સરપંચની ચૂંટણી નથી થઈ
આજે અહીં કરોડો રૂપિયાના ખર્ચે "મીઠા સત્યાગ્રહ મેમોરિયલ બનવવામાં આવ્યો છે
આઝાદી કા અમૃત મહોત્સવમાં મહાત્મા ગાંધીના દાંડીને કેવી રીતે ભૂલી શકીએ..ત્યારે દાંડી સાથે જોડાયેલા આઝાદીના સ્મરણો અંગે જોઈએ આ વિશેષ અહેવાલ...
અંગ્રેજોની દમન કરવાની નીતિ સામે દેશના રાષ્ટ્રપિતાએ જેતે સમયમાં અહિંસક લડત લડી હતી. દેશને આઝાદી અપાવી હતી. ગાંધીજીએ દેશને સ્વતંત્રતા મેળવવા માટે કમરકસી હતી, જેને દેશવાસીઓને સમર્થન સાથે હિંસા વગર આઝાદી મેળવવા લોક જુવાળ ઉભો થયો હતો. આઝદી માટે મહાત્મા ગાંધી સાથે સ્વયંભૂ લોકો જોડાયા હતા. અંગ્રેજોએ આ લોકજુવાળને ડામવા માટે અનેક ક્રાંતિકારીઓને જેલમાં પૂર્યા હતા. ત્યારે દેશના લોકોએ જેલભરો આંદોલન શરૂ કરી અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો હતો.
દેશમાં નવી ક્રાંતિની શરૂઆત દાંડી ગામથી થઈ હતી
દેશમાં નવી ક્રાંતિની શરૂઆત આ દાંડી ગામથી થઈ હતી. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવ્યો હતો અને તેના વિરોધમાં ગાંધીજીએ બ્રિટીશ સરકારને રજૂઆત કરી હતી કે, મીઠા પર કર લેવાનો નિર્ણય અયોગ્ય છે. તેને પરત લેવામાં આવે તેમ છતા કર લેવાનો નિર્ણય પરત ખેંચાયો ન હતો. બાદમાં ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું હતું. 1930ના માર્ચ મહિનામાં અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી ગામ સુધી પગપાળા યાત્રા કાઢી અંગ્રેજ સરકાર સામે આંદોલનનો મોરચો માંડ્યો હતો.
સાબરમતી આશ્રમથી પગપાળા યાત્રાની શરૂઆત થતાની સાથે જ ગાંધી બાપુ સાથે 78 પદયાત્રીઓ જોડાયા અને ગામડે-ગામડે વિસામો અને રાત્રી રોકાણ કરીને દાંડી ગામે પહોંચ્યા હતા. દાંડી ગામે આવીને મહાત્મા ગાંધી બાપુ સેફીવિલામાં રોકાયા હતા. ત્યાર બાદ ચપટી મીઠું ઉપાડીને સવિનય કાનૂન ભંગ કરી અંગ્રેજોના શાસન સામે પડકાર ફેંક્યો હતો. આ ઘટના બાદ ગાંધીજીની અંગ્રેજ સરકારે ધરપકડ કરી હતી અને હાસપોર ગામ લઈ જવાયા હતા.
આજદિન સુધી દાંડી ગામમાં સરપંચની ચૂંટણી નથી થઈ
ખરા અર્થમાં દાંડી ગામ આઝાદીના પ્રવેશદ્વાર સાથે ગાંધી મૂલ્યોનું સિંચન આજે પણ કરી રહ્યાં છે. પંચાયતી રાજની શરૂઆતથી લઈને આજ સુધી દાંડી ગામમાં સરપંચની ચૂંટણી થઈ નથી ગ્રામજનો ભેગા મળીને સરપંચ નક્કી કરવાની પ્રથા ચાલી રહી છે. મહાત્મા ગાંધી સાથે સ્વતંત્ર સેનાનીએ જોયેલ ભારતનું સ્વપ્ન કદાચસર દાંડી ગામમા દેખાઈ રહ્યું છે, આઝાદીના મીઠા ફળો દાંડી ગામ ખરા અર્થમાં માળી રહ્યાં છે.
દેશ આઝાદ થયોને 75 વર્ષ થઈ રહ્યા છે, ત્યારે તાજેતરની સરકારે દાંડી ગામની કાયાપલટ કરી દીધી છે. કરોડો રૂપિયાના ખર્ચે "મીઠા સત્યાગ્રહ મેમોરિયલ બનવવામાં આવ્યો છે જે દેશ વિદેશીઓ પહેલી પસંદ બન્યો છે. અહીં એવરેજ રોજના 10 હજાર ગાંધીપ્રેમીઓ ગાંધીબાપુની યાદો સાથે જોડાવવા અને ઐતિહાસિક ધરોહરને માણવા આવી રહ્યાં છે.
વિશ્વમાં લોહિયાળ વગરની જો કોઈ રાષ્ટ્રએ આઝાદી મેળવી હોય તો એ આપણા દેશે મેળવી છે જે મહાત્મા ગાંધી બાપુને આભારી છે એટલ જ વિશ્વ આજેપણ સ્વ. મોહનચંદ કરમચંદ ગાંધીને યાદ કરી રહ્યા છે. જો કે હવે દાંડી ગામ રાજકીય પક્ષો માટે રોટલો શેકવા માટેનું સાધન પણ બની ગયો છે, પણ ગાંધી બાપુને સ્થાનિકો આજે પણ એટલા જ ચાહી રહ્યાં છે.