જૂનાગઢ જિલ્લાના અનેક પંથકમાં ચાલુ વર્ષે હવામાન અનુકુળ ન આવતા કેરીનો પાક ખૂબ ઓછા પ્રમાણમાં થયો હતો, જે બાદ કમોસમી વરસાદના કારણે નુકસાન પણ વેઠવું પડ્યું
જૂનાગઢ વંથલીમાં કેસર કેરીના પાકને ભારે નુકસાન
કમોસમી વરસાદ અને વાવાઝોડાથી નુકસાની
ખેડૂતોની સરકાર પાસે રાહત પેકેજ માંગ
જૂનાગઢના વંથલી પંથકમાં આવેલા કમોસમી વરસાદ અને પવનના કારણે આંબાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ પંથકના ખેડૂતો પોતાના આંબાના બગીચા કેરીઓ સાફ કરતા નજરે પડે છે. ચાલુ વર્ષે હવામાન અનુકુળ ન આવતા કેરીનો પાક ખૂબ ઓછા પ્રમાણમાં થાય તેમ હતો. જે કેરી બચી હતી તેમાંથી મોટાભાગની કેરી ગઇકાલના વાવાઝોડામાં ખરી પડી હતી.
ખેડૂતો આંબાના પાક પર મિટ માંડી બેઠા હતા. પરંતુ ગઈકાલે થયેલા વાવાઝોડાના પરિણામે આંબાના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો હતાશ થઇ ગયા છે. આ મુશ્કેલીમાંથી ઉગારવા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક બાગાયતી પાકને પણ વીમાનું રક્ષણ આપવા અને રાહત પેકેજ આપવા ખેડૂતોએ માંગ કરી છે.