સુરતઃ ઓલપાડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ ONGC કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો. ONGC કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં ગેસ લાઇન નાખવા બાબતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. સુરતના હજીરાથી અંકલેશ્વર સુધી ONGCએ ગેસલાઇન નાખવાની કામગીરી શરૂ કરી હતી.
ONGC દ્વારા જૂની ગેસલાઈનને કાઢી નવી ગેસ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેનો ખેડૂતોએ વિરોધ કર્યો છે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ONGC કંપની સામે વિરોધ કરતા આવ્યા છે. ONGC કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાંથી ગેસ લાઇન પસાર કરાતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
હાલમાં થોડા દિવસથી ONGC દ્વારા સુરતના હજીરાથી અંકલેશ્વર સુધી ગેસલાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી. તે સમય દરમિયાન ખેડૂતોએ વરિયાવ ગામે ONGCએ નંખાય રહેલી ગેસ લાઇનનો વિરોધ કર્યો હતો.
ખેતરોમાં ગેસ લાઇન પસાર કરાતાં ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા ONGCને માંગ કરવામાં આવી હતી કે ગેસ લાઇન ખેડૂતોના ખેતરોમાંથી પસાર કરવામાં ન આવે ONGCના આ ગેસ લાઇનને કારણે ખેડૂતોના પાકની સાથે સાથે ખેડૂતોની ફળદ્રુપ જમીન પણ બગાડી છે.