જૂનાગઢ જિલ્લામાં સીઝનનો માત્ર 10 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે નદી નાળાઓ પણ સુકાય ગયા અને કૂવાઓમાં પણ તળિયા દેખાતા થઇ ગયા છે
વરસાદ ન થતા ખેડૂતો બન્યા પાયમાલ
જૂનાગઢમાં સીઝનનો માત્ર 10 ટકા વરસાદ
સિંચાઇ માટે પાણી આપવામાં આવે તેવી માંગ
જૂનાગઢ જિલ્લામાં વરસાદ ઓછો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જૂનાગઢમાં સીઝનનો માત્ર 10 ઇંચ જ વરસાદ પડ્યો છે. વરસાદ ન થવાના કારણે નદી નાળાઓ પણ સુકાઇ ગયા છે. વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભિંતી સેવાઇ રહી છે. અને મગફળીમાં મુંડા નામની જીવાત આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જૂનાગઢમાં સૌથી વધારે એટલે કે 60 ટકા મગફળીનું વાવેતર થાય છે. જ્યારે 40 ટકામાં સોયાબીન, તુવેર અને કપાસનું વાવેતર કરવામાં આવે છે. હાલ ખેડૂતો સિંચાઇ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.
જૂનાગઢ જિલ્લામાં વરસાદ નહિવત થતાં જગતનો તાત ચિંતિત બની ગયો છે. જૂનાગઢ જિલ્લામાં સીઝનનો માત્ર 10 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે નદી નાળાઓ પણ સુકાય ગયા છે. અને કૂવાઓમાં પણ તળિયા દેખાતા થઇ ગયા છે. ત્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે લાખો રૂપિયા બિયારણ, જંતુનાશક દવાઓ અને ખાતરમાં નાખ્યા બાદ હવે વરસાદ ન થતા પાક સાવ નિષ્ફળ ગયો છે. સાથે સાથે પડ્યામાં પાટું જેવી સ્થિતિ પણ મગફળીમાં મુંડા નામની જીવાત થઈ જતા થઈ ગઈ છે. ખેડૂતોને હાલ રાતા પાણીએ રડવાની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો હાલ મુંડા પડાથી જંતુનાશક દવાઓ છાટી રહ્યા છે. હાલ પાકને પિયત ન મળતા સુકાઈ ગયો છે. હવે કુદરત મહેરબાન થાય તો જ ખેડૂતના તાતને જીવનદાન મળે તેવી પરિસ્થિતિ સર્જાય છે.
જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે એટલે કે 60% મગફળીનું વાવેતર થાય છે. 40 ટકામાં સોયાબીન, તુવેર અને કપાસનું વાવેતર કરવામાં આવે છે. મગફળીનો પાક હાલ તો સાવ સુકાઈ ગયો છે. ખેડૂતોથી જાણે કુદરત નારાજ હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોના કૂવામાં પણ તળિયા દેખાઈ ગયા છે. વરસાદ ન પડવાથી નદી-નાળા અને જળાશયોમાં પણ પાણી સુકાઈ ગયા છે. તો સિંચાઇ માટે ખેડૂતો પાસે જાણે હવે કોઈ વિકલ્પ ના હોય તેવું લાગી રહ્યું છે.