આણંદના બોરસદના સારોલ પંથકમાં ધોધમાર વરસાદથી માર્ગો પર નદીના વહેણ જેટલું પાણી
આણંદના સારોલ ગામમાં વરસાદથી તારાજી
તારાજીના દ્રશ્યો આવ્યા સામે
વરસાદી પાણીથી મોટા પ્રમાણમાં નુકસાન
રાજ્યના અનેક તાલુકાઓમાં હજુ પણ વરસાદ યથાવત છે ત્યારે આણંદના બોરસદ તાલુકાના 15 થી 17 હજારની વસ્તી ધરાવતા સારોલ ગામમાં વરસાદી પાણીએ તાંડવ મચાવ્યો. સારોલ ગામમા વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે અનેક લોકોને નુકસાન પહોંચ્યું છે. 100 જેટલા કુટુંબ અસરગ્રસ્ત બન્યા, 20 મકાનોને નુકસાન થયું, 3 પશુઓનું મૃત્યુ નીપજ્યું તો 5 પશુ હજુ પણ લાપતા છે.
ગામમાં મોટાપાયે નુકસાની
વરસાદને પગલે 7 હજાર લીટર જેટલા દૂધનો બગાડ થયો. વરસાદી પાણીના કારણે ગામમાં શાળા પણ બંધ રાખવા ફરજ પડી હતી.વરસાદી પાણીમાંથી બાળકોના જીવના જોખમે રેસ્ક્યુ કરાયા હતા. વરસાદના પગલે 7 જેટલા રસ્તાઓને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું, જેમાં બારવિઘાથી મહાદેવપુરાને જોડતો માર્ગ પણ ધોવાયો. અતિશય વરસાદને પગલે ડાંગર કપાસ અને શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 22 કલાક બાદ પણ ગામમાં પાણી અને વીજપુરવઠાની સમસ્યા જોવા મળી રહી છે.
વિદ્યાર્થીઓ પૂરમાં ફસાયા
આણંદમાં આવેલા ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓ નદીમાં ફસાયા હતા. આણંદના સારોલમાં સ્કૂલેથી આવતા વિદ્યાર્થીઓ પૂરમાં ફસાયા હતા. જેથી દોરડું બાંધીને તમામ વિદ્યાર્થીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીના રેસ્ક્યુો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ ફસાવા સાથે આણંદના ગાજણા ગામનું તળાવ ઓવરફ્લો થતાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે.
રાજ્યમાં આજે 127 તાલુકા વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ