રાજ્યમાં દલિતો પર વધી રહેલા અત્યાચારને લઇ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અને માર્ટિન મેકવાને આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મેવાણીએ કહ્યું કે, ગુજરાતમાં આટલી ઘટનાઓ બને છે છતા સીએમ રૂપાણીએ સંવેદના નથી સેવી.
સીએમએ તમામ લોકો માટે સરખી સંવેદના રાખવી જોઇએ. સીએમ રૂપાણીએ આ અંગે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા પણ નથી આપી. ત્યારે દલિતો પર અત્યાચાર અંગે ગૃહપ્રધાન અને મુખ્ય સચિવ સાથે વારંવાર રજૂઆત કરવામાં આવી છે.
વિધાનસભામાં પ્રશ્નો કરવા છતા સરકાર આ અંગે કઇ બોલવ તૈયાર નથી. તો આ સાથે જ મેવાણીએ કહ્યું કે, ખંભીસર મામલે અધિકારી સામે પગલા નથી લેવાયા. અભદ્ર વર્તન બદલ ફાલ્ગુની પટેલ સસ્પેન્ડ કરવામાં આવે.