રાજ્યમાં દલિતો પર અત્યાચારને લઇ અંતે રાજ્ય સરકારે મૌન તોડ્યું છે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજી જેમાં તેઓએ કહ્યું કે, ગુજરાત સરકાર દલિતોની પડખે છે. કેટલાક લોકો દલિતો-સરકાર વચ્ચે ખાઈ ઉભી થાય તેવા પ્રયત્નો કરે છે અને સામાજિક સમરસતાને કેટલાક લોકો ધ્વસ્ત કરવા માગે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં સામાજિક સમરસતાનું વાતાવરણ બગાડવામાં આવી રહ્યું છે. ઉપરાંત પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, લ્હોર ગામે લોકોએ બહિષ્કારનું એલાન કર્યું હતું જેમાં ડે. સીએમ નીતિન પટેલે ગામમાં જઇને સમાધાન કરાવ્યું અને પોલીસે 5 લોકોની ધરપકડ પણ કરી છે.
આ ઉપરાંત પ્રાંતિજના ગામમાં વરઘોડાની અરજી મળી તે બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તો સાથે જ ખંભીસર ગામે નિશ્ચિત રૂટ પર વરઘોડો પસાર થયો હતો. રાજ્યમાં વરઘોડા શાંતિપૂર્ણ નીકળે તે માટે સરકાર કટિબદ્ધ છે.