કચ્છના રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. એકતરફ દલિત સમાજમાં આક્રોશ ભભુકી રહ્યો છે. તો બીજી તરફ અજંપાભરી પરિસ્થિતિ વચ્ચે આજે કરણી સેના તેમજ ક્ચ્છ ક્ષત્રિય સમાજના આગેવાનોએ બેઠક યોજી ક્ચ્છ કલેક્ટર તેમજ DIGને આવેદન પત્ર આપી ગુનામાં નિર્દોષ લોકો ના ફસાઈ જાય તે જોવા રજૂઆત કરી છે.
કચ્છમાં રાજકીય માહોલ ગરમાયો
દલિત સમાજમાં આક્રોશ
કરણી સેના, ક્ચ્છ ક્ષત્રિય સમાજની બેઠક
કચ્છમાં મૃતક વકીલના પત્નીએ શંકાના આધારે રાપરના ક્ષત્રિય પરીવારના સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધાવ્યા બાદ દલિત સમાજ દ્વારા આરોપીઓની તાત્કાલિક અટકાયત થાય ત્યારબાદ જ દેવજીભાઈના મૃતદેહને સ્વીકારશે તેવી માંગ સાથે વિરોધ કરી રહ્યાં છે. તો રાપરના જે ક્ષત્રિય પરિવાર સામે ફરિયાદમાં નામ નોંધાવ્યા છે. તેમના સમર્થનમાં રાપરના સર્વે સમાજ, કરણી સેના તેમજ ક્ચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ આવ્યું છે.
ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટર અને DIGને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે FRIમાં રાપરના પ્રતિષ્ઠિત રાજકીય પરિવારના વડીલ, ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને અન્ય જ્ઞાતિના ત્રણ યુવાનો મળી કુલ નવ લોકો સામે ફરિયાદ નોંધાવાઈ છે. જે ન્યાયિક અને યોગ્ય નથી. આ રીતે કોઈપણ સામાજિક સંગઠનો કે જ્ઞાતિજનો કે ભોગગ્રસ્તો દ્વારા ઈર્ષાભાવ, વેરવૃત્તિ કે ગેરસમજથી હત્યા જેવા ગુનામાં આવી રીતે આરોપી તરીકે નામ દાખલ કરવા યોગ્ય નથી.
પોલીસ તટસ્થ તપાસ કરી અન્ય લોકોના નામ FRIમાંથી દૂર કરવા કે ફેરવિચારણા કરે તેવી વિનંતી છે. આ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ મૃતક દેવજી મહેશ્વરીની હત્યાને વખોડી તેમના પરીવાર સાથે સંવેદના દર્શાવી હતી. હત્યારા સામે કડક કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી છે.