દલિત પરિવારોના સશક્તિકરણ અને તેમને આર્થિક રીતે આગળ લાવવા માટે, સમૃદ્ધ બનવવા માટે આ રાજયના મુખ્યમંત્રીએ દલિત સશક્તિકરણ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે.
10 લાખ રૂપિયાની આર્થિક સહાય
11900 પરિવારોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે
રાજ્યમાં લગભગ 7.8 લાખ દલિત ખેડૂત
10 લાખ રૂપિયાની આર્થિક સહાય
દલિત પરિવારોના સશક્તિકરણ અને તેમને આર્થિક રીતે આગળ લાવવા માટે, સમૃદ્ધ બનવવા માટે તેલંગાણાના મુખ્યમંત્રીએ દલિત સશક્તિકરણ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. રવિવારે તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં થયેલી સર્વદળીય બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્યના આ દલિત પરિવારોને મુખ્યમંત્રી દલિત સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત 10 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.
11900 પરિવારોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે
તેલંગાણાના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ આ યોજના અંતર્ગત રાજ્યની 119 વિધાનસભા સીટોમાંથી દરેક સીટમાથી 100 દલિત પરિવારોને પસંદ કરવામાં આવશે અને તેમના ખાતામાં 10 લાખ રૂપિયા નાખવામાં આવશે. એટલે કે પહેલા ચરણમાં રાજ્યોના કુલ 11900 પરિવારોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા 1200 કરોડનું બજેટ પણ ફાળવ્યું છે.
રાજ્યમાં લગભગ 7.8 લાખ દલિત ખેડૂત
રવિવારે તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં થયેલી સર્વદળીય બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્યના આ દલિત પરિવારોને મુખ્યમંત્રી દલિત સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત 10 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. આ બેઠકમાં બધા જ સાંસદો, ધારાસભ્યો સામેલ થયા હતા. સાથે જ મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં લગભગ 7.8 લાખ દલિત ખેડૂત છે તેમના હિતમાં પણ કામ કરવામાં આવશે.