તિબ્બત સ્થિત પોટાલા પૈલેસ બોદ્ધ ધર્મને માનનારા લોકોની આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં લોકો આધ્યાત્મિક શાંતિ અને પર્યટનનાં હેતુ સાથે આવે છે. ચીને તથ્ય વગરનું લોજિક આપીને આ મહેલ બંધ કરાવ્યો છે. જાણો ચીને શું કર્યું?
ચીને પોટાલા પેલેસ અનિશ્ચિત સમય માટે બંધ કર્યું
બોદ્ધ ધર્મનું મુખ્ય આસ્થાનું કેન્દ્ર બંધ કરી ચીને લુલો બચાવ કર્યો
આ પેલેસમાં દલાઈ લામાં રહેતા હતાં
ચીનને તિબેટનાં પોટાલા પેલેસને બંધ આ કારણ આપી બંધ કર્યો
કોરોના વાયરસને ફેલતો રોકવાની આડમાં ચીન લુચ્ચી રાજનીતિ રમ્યું છે. ચીન સરકારે તિબેટ સ્થિત બૌદ્ધ ધર્મ ગુરુ દલાઈ લામાનાં અધિકારિક નિવાસ પોટાલા પેલેસને આજે અનિશ્ચિત સમય સુધી બંધ કરી દીધો છે. ચીનનું કહેવું છે કે ખતરનાક કોરોના વાયરસને રોકવા માટે પોટાલા મહેલને બંધ કરવામાં આવ્યો છે. પોટાલા બૌદ્ધ ધર્મનાં લોકો અને મોગ્સ માટે સાંસ્કૃતિક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ચીન સરકારે એ સ્પષ્ટ નથી કર્યું કે પોટાલા પેલેસ ક્યાં સુધી બંધ રહેશે. ચીને પ્રવાસીઓને અહીં માટે ટિકીટ ન વેચવા કહ્યું છે.
80 મોત, 3000 લોકો અસરગ્રસ્ત
ચીનમાં કોરોના વાયરસનાં કારણે 80 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 3 હજાર લોકો આ બિમારીથી અસરગ્રસ્ત છે. ચીનનાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ વાયરસ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચીનનુ વુહાન શહેર આ બિમારીનું કેન્દ્ર છે. અહીંથી આ વાયરલ પુરી દુનિયામાં ફેલાઈ રહ્યો છે.
બૌદ્ધ ધર્મનું મુખ્ય કેન્દ્ર
દલાઈ લામાનો મહેલ લગભગ 13 માળ ઉંચો છે. જેમાં 1 હજારથી વધારે રુમ છે. આ મહેલમાં લગભગ 2 લાખ મુર્તિઓ છે. તિબેટ - ચીન સંઘર્ષ દરમિયાન આ મહેલને ઘણું નુકશાન પહોંચ્યું છે. 1959 સુધી આ મહેલ બૌદ્ધ આસ્થાનું પ્રમુખ કેન્દ્ર રહ્યું છે. બૌદ્ધ અહી સાધનાં અને પુજા માટે આવતાં હતાં, પરંતુ ચીન સાથેની લડાઈ દરમિયાન 14માં દલાઈ લામા તેનજિન ગ્યોસ્ટો ભારત આવી ગયાં હતાં. એ પછી આ મહેલ ચીનના અધિકારમાં છે. 1961માં ચીને આને રાષ્ટ્રીય મહત્વનું સાંસ્કૃતિક સ્મારક જાહેર કર્યુ હતું.