તિબ્બતના આધ્યાત્મિક ધર્મગુરુ દલાઇ લામા કેટલાક દિવસોથી બિહારના બોધગયામાં છે. તેઓએ ચીનને સંદેશ આપતા કહ્યું કે સત્યની તાકાત બંદૂકની તાકાતથી વધારે મજબૂત હોય છે. તેઓએ એમ પણ કહ્યું કે ચીનના કમ્યુનિસ્ટોની પાસે બંદૂકની તાકાત છે અને અમારી પાસે સત્યની તાકાત છે.
દલાઇ લામા બોધગયામાં દીક્ષા અને પ્રવચન આપવા માટે મંગળવારે પહોંચ્યા
દલાઇ લામા બોધગયામાં તિબ્બતી મોનેસ્ટ્રીમાં રોકાશે
દલાઇ લામા બોધગયામાં દીક્ષા અને પ્રવચન આપવા માટે મંગળવારે પહોંચ્યા છે. નોંધનીય છે કે, ચીન દ્વારા તિબ્બતમાં સ્થાનીય લોકોના બળવાને કચડી નાંખ્યા બાદ 14માં દલાઇ લામાને 1959માં ભાગીને ભારતમાં શરણ લેવી પડી હતી.
બોધગયા પહોંચેલા દલાઇ લામાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેઓ ચીનને શું સંદેશ આપવા માંગે છે. તેના પર તેઓએ કહ્યું કે, અમારી પાસે સત્યની તાકાત છે. ચીનના ક્મ્યુનિસ્ટોની પાસે બંદૂકોની તાકાત છે. લાંબી રેસમાં સત્યની તાકાત બંદૂકની તાકાતથી વધારે મજબૂત હોય છે.
#WATCH Dalai Lama in Gaya, on 'what message does he have for Chinese govt': We have the power of truth. Chinese communists have the power of gun. In the long run, power of truth is much stronger than power of gun. #Biharpic.twitter.com/dzp6gEMoUh
દલાઇ લામા બોધગયામાં તિબ્બતી મોનેસ્ટ્રીમાં રોકાશે. જ્યાં સુરક્ષા વ્યવસ્થાના કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ત્યાં સ્થિત મંદિરની સુરક્ષા પેરામિલિટ્રી ફોર્સ કરી રહી છે. દલાઇ લામાને મળવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. આ પહેલા મુંબઇથી બોધગયા પહોંચવા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.