વાસ્તુશાસ્ત્રમાં સામાન્યપણે દક્ષિણ દિશાના મકાનને અશુભ અને નકારાત્મક પ્રભાવ વાળું માનવામાં આવે છે. જોકે મોટાભાગના લોકો દક્ષિણ મુખી મકાનને લઇને ખાસ એટલા સજાગ હોતા નથી. તેમને કોઇ ફર્ક પડતો નથી. અહીં આપણે જાણીએ કે દક્ષિણ મુખી મકાનની ઘરની માનવીના જીવન પર શું અસર પડે છે. સામાન્યપણે દરેક દિશામાં કોઇને કોઇ ગ્રહ સ્થિત હોય છે. જે સારો અને ખરાબ પ્રભાવ પાડતો હતો છે. આ નિર્ભર હોય છે મકાનના વાસ્તુ, વિસ્તારની સંરચના અને તેની આસપાસના વાતાવરણ તથા વૃક્ષોની સ્થિતિ પર.
દક્ષિણમુખી મકાનમાં કેમ ન રહેવું જોઇએ?
વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાનું દ્વાર શુભ માનવામાં આવતું નથી. તેને સંકટનું દ્વાર પણ કહેવામાં આવે છે. જેના પાંચ કારણ છે.
1 દક્ષિણમાં યમ અને યમદૂતોનો નિવાસ હોય છે.
2 દક્ષિણ દિશામાં મંગળ ગ્રહનું સ્થાન છે. મંગળ ગ્રહ એક ક્રુર ગ્રહ છે.
3 દક્ષિણ દિશામાં દક્ષિણી ઘ્રુવ છે જેનો નકારાત્મક પ્રભાવ બન્યો રહેતો હોય છે.
4 દક્ષિણ દિશાથી અલ્ટ્રાવાયલેટ કિરણોનો પ્રભાવ વધારે રહેતો હોય છે જેના કારણે સ્વાસ્થ્ય ઠીક રહેતું નથી.
5 દક્ષિણ દિશામાં સૂર્ય સૌથી વધારે સમય સુધી રહેતો હોય છે જેના કારણે મકાનનુ મુખ્ય દ્વાર ગરમ રહેતું હોય છે. તેના કારણે ઘરમાં ઓક્સિજનની કમી વર્તાતી હોય છે.
દક્ષિણમુખી દ્વારની શું પડે છે અસર
દક્ષિણ દિશા તરફ પગ રાખીને સુઇ જવાથી તે આપણા શરીરની ઉર્જા ખેંચી લે છે, એ જ રીતે તે મકાનની અંદરની ઉર્જાને પણ ખેંચી લે છે. દક્ષિણ દિશામાં પગ રાખીને સૂઇ જવાને કારણે ફેફસાની ગતિ મંદ પડી જાય છે. તેથી મૃત્યુ બાદ માનવીના પગને દક્ષિણ દિશા તરફ કરી દેવામાં આવતા હોય છે. તેથી તેના શરીરમાં રહેલા જીવાંશ સમાપ્ત થઇ જાય.
જો તમારું ઘર દક્ષિણમુખી હોવાતી દુષિત છે તો ગૃહસ્વામીને કષ્ટ, ભાઇઓથી કટુતા, વધુ પડતો ક્રોધ અને દુર્ઘટનાઓમા વધારો થતો રહેતો હોય છે. રક્તચાપ, રક્તવિકાર, કુષ્ઠ રોગ, બવાસીર, ચેચક, પ્લેગ વગેરે રોગ થવાની આશંકા રહેતી હોય છે. આકસ્મિક મોતનો યોગ પણ બની રહેતો હોય છે.
કેવા દક્ષિણમુખી મકાનમાં નથી હોતો દક્ષિણ દોષ
1 જો દક્ષિણમુખી મકાનની સામે દરવાજાની સામે થોડા અંતરે લીમડાનું ઝાડ હોય અથવા મકાનથી વધારે મોટું કોઇ અન્ય મકાન છે તો દક્ષિણ દિશાની અસર કેટલાક હદે સમાપ્ત થઇ જશે. ઉપરાંત દરવાજાની ઉપર પંચમુખી હનુમાનજીનું ચિત્ર પણ લગાવવું જોઇએ.
2 જો પ્લોટમાં મુખ્ય દ્વાર એટલે કે દરવાજો અગ્નિ ખુણામાં બનેલો છે તથા ઉત્તર અને પૂર્વની તરફ વધારે અને પશ્ચિમ-દક્ષિણમાં જગ્યા ઓછી છોડવામાં આવી છે તો પણ દક્ષિણ દોષ ઓછો થઇ જતો હોય છે. બગીચામાં પૂર્વ અને ઇશાન દિશામાં નાના છોડ વાવવા જોઇએ.
3 દક્ષિણ મુખી અગ્નિ ખુણામાં દરવાજો જો લાલ અથવા મરૂન રંગનો હોય તો શ્રેષ્ઠ ફળ આપે છે. ઉપરાંત ભૂરો રંગ પણ રાખી શકો છો. કોઇપણ પરિસ્થિતિમાં વાદળી અને કાળો રંગ ન લગાવવો જોઇએ. દક્ષિણ મુખી ભૂખન્ડનો દરવાજો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ તરફ ક્યારેય ન રાખવો જોઇએ. પશ્ચિમ અથવા અન્ય દિશામાં દરવાજો લાભકારી હોય છે.
4 જો તમારો દરવાજો દક્ષિણની તરફ છે તો દરવાજાની ઠીક સામે એક મિરર એ પ્રકારે લગાવવો જોઇએ. જેથી ઘરમા પ્રવેશ કરનાર વ્યક્તિની સાથે તેનું પ્રતિબિંબ મિરરમાં જોવા મળે. તેના કારણે ઘરમાં પ્રવેશ કરનાર વ્યક્તિની સાથે ઘરમાં પ્રવેશ કરનારી નકારાત્મક ઉર્જા પલટીને પાછી જતી રહે છે.