ડાકોર-ઠાસરા કોંગ્રેસની પરંપરાગત બેઠક; ભાજપ આ કોગ્રેસના ગઢને હજુ સુધી ભેદી શક્યુ નથી, ઓબિસી અને લઘુમતી મતદારોનું અહીં પ્રભુત્વ છે
ડાકોર-ઠાસરા કોંગ્રેસની પરંપરાગત બેઠક
ડાકોર-ઠાસરામાં ઓબિસી અને લઘુમતી મતદારોનું પ્રભુત્વ
કાંતિ પરમાર અને યોગન્દ્ર પરમાર વચ્ચે જામશે રાજકીય જંગ
ગુજરાતમાં કોંગ્રેસની ઘણી પરંપરાગત બેઠકો છે, જ્યાં ઉમેદવાર કોઈ પણ હોય જીતે તો કોંગ્રેસ જ એવી જ એક બેઠક એટલે ઠાસરા-ડાકોર વિધાનસભાની છે. અત્યાર સુધી આ બેઠક કોંગ્રેસ માત્ર એક જ વખત હાર્યુ છે. ભાજપે આ કોગ્રેસના ગઢને હજુ સુધી ભેદી શક્યુ નથી. ભાજપનો હિન્દુત્વનો મુદ્દો ડાકોરમાં લાગુ પડતો નથી.
ડાકોર-ઠાસરામાં કોનો દબદબો
વર્ષોથી ડાકોર-ઠાસરા વિધાનસભા બેઠક પર કોંગ્રસનું શાસન રહ્યુ છે. તે પાછળ અનેક કારણો છે માત્ર એક જ વખત આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 2017ની ચૂંટણીમાં પણ કોંગ્રેસની જ જીત થઈ હતી. કોંગ્રેસના કાંતિ પરમારનો ભવ્ય વિજય થયો હતો. અત્યારે સુધી યાત્રાધામ ડાકોરમાં ભાજપની જીત થતી નથી થઈ અને ઠાસરા વિધાનસભાને કોંગ્રેસનો ગઢ પણ કહેવામાં આવે છે. ભાજપનો હિન્દુત્વનો મુદ્દે ડાકોર-ઠાસરાના લોકોને આકર્ષી શક્તો નથી? કોંગ્રેસ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહે છે. જે અંગે સ્થાનિકો પાસેથી માહિતી પાપ્ત કરી હતી
ડાકોર-ઠાસરાનું રાજકીય ગણિત઼
ડાકોર-ઠાસરાનું રાજકીય ગણિત઼માં ડાકોર-ઠાસરામાં ઓબિસી અને લઘુમતી મતદારોનું પ્રભુત્વ વધુ છે. આ બેઠક પર 2002માં ભાજપના ભગવાનસિંહ ચૌહાણની જીત થઈ હતી. 2002ને બાદ કરતા રામસિંહ પરમારની જીત થઈ હતી. 2017માં રામસિંહ પરમાર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને 2017માં કોગ્રેસના કાંતિ પરમારની ભવ્ય જીત થઈ હતી. ભલે 1980થી કોંગ્રેસ ઠાસરા-ડાકોર વિધાનસભાથી જીતતી હોય ભલે ડાકોરયાત્રા ધામ હોય પરંતુ સ્થાનિકોના પ્રશ્નો ઠેરના ઠેર છે. જે પ્રમાણે યાત્રાધામ પાવાગઢ, દ્વારકા અને અંબાજીનો વિકાસ થયો તે પ્રમાણે યાત્રાધામ ડાકોરનો વિકાસ થયો નથી તેવુ સ્થાનિકોનું કહેવુ છે.
ડાકોરમાં વિકાસ રૂંધાયો
ડાકોરના લોકો કહી રહ્યા છે કે ડાકોરમાં કોંગ્રેસ જીતે છે એટલે ડાકોરનો વિકાસ થઈ રહ્યો નથી. ખુદ હાલના ધારાસભ્યની પણ આજ રાવ છે કે, કોંગ્રેસની બેઠક હોવાથી ભાજપ અમને અન્યાય કરી રહી છે. અહીં નગરપાલિકામાં ભાજપનું રાજ છે જ્યારે વિધાનસભામાં કોંગ્રેસનું રાજ એટલે બંને પક્ષો વચ્ચે ટક્કર રહેતી હોય છે. જેના કારણે ડાકોરનો વિકાસ થતો નથી.
કાંતિ પરમાર અને યોગન્દ્ર પરમાર વચ્ચે જંગ
આ ચૂંટણીમાં કોંગ્રેસે કાંતિ પરમારને રિપિટ કર્યા છે. જ્યારે ભાજપે 2017માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા રામસિંહ પરમારના પુત્ર યોગન્દ્ર પરમારને ટિકિટ આપી છે. રામસિંહ પરમાર આ બેઠક પરથી અગાઉ જીતતા હતા. પરંતુ તેમણે 2017માં પક્ષપલ્ટો કર્યો અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા. ભાજપે તેમને 2017માં ટિકિટ આપી અને તેઓ હાર્યા હતા. રામસિંહ પરમાર એક વખત ડાકોર મંદિરમાં નોકરી કરતા હતા. 1980માં રાજનીતિમાં તેમણે રાજનીતિમાં પગ મુક્યો અને 2002 સિવાય તમામ ચૂંટણી તેમણે કોંગ્રેસમાંથી જીતી હતી. ભાજપમાં આવ્યા બાદ તે 2017માં હાર્યા આ વખતે ભાજપે તેમના પૂત્ર યોગેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે. યોગેન્દ્ર સિંહ હાલ જીતનો દાવો પણ કરી રહ્યા છે. ઠાસરા વિધાનસભા કોંગ્રેસનો પરંપરાગત ગઢ છે. ભાજપની હિન્દુત્વની વાતો હજુ સુધી કોંગ્રેસના ગઢને ભેદી શકી નથી. આ ચૂંટણીમાં જોવાનું રહ્યુ કે, ભાજપ કોંગ્રેસના ગઢને ભેદી શકે છે કે નહીં કે કોંગ્રેસ પોતાના ગઢને બચાવવામાં સફળ રહે છે.