ઐતિહાસિક / ગુરૂપૂર્ણિમા: ઇતિહાસમાં પ્રથમ વખત યાત્રાધામ ડાકોર ના ઠાકોર રણછોડજીના દ્વાર ભક્તો માટે બંધ, શ્રદ્ધાળુઓ ધજાના દર્શન કરી પરત ફર્યા

dakor temple closed for people in Guru purnima covid 19

આજે ઇતિહાસમાં પ્રથમ વખત યાત્રાધામ ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ગુરુપુર્ણિમાના અવસરે બંધ રહ્યાં. જો કે ગુરુપુર્ણિમા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળું અહીં પહોંચ્યાં હતા. જે ઠાકોરના બંધ દ્રાર જોઇને નિરાશ થયા હતા. શ્રદ્ધાળુઓ ધોરી ધજા અને શિખરને દર્શન કરીને જ સંતોષ માનવો પડ્યો હતો. શ્રદ્ધાળુ ઓનલાઇન રણછોડજીના દર્શન કરી શકશે. આવતી કાલથી મંદિર દર્શનાર્થી માટે ખૂલશે પરંતુ દર્શનાર્થીઓએ પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ