ડાકોરના ઠાકોર રણછોડજી ના ડાકોર આગમનને 864 વર્ષ પૂર્ણ થતા દેવદિવાળીના પવિત્ર દર્શન કરવા લાખો ભક્તો યાત્રાધામ ડાકોરમાં ઉમટી પડતા નગરની ગલીઓ માનવ મહેરામણમાં ફેરવાઈ ગઈ છે.
1600 દિવાથી ઝળહળી ઉઠશે ડાકોર મંદિર
લાખોની કિંમતના મુગટથી ભગવાનનો શણગાર
દેવદિવાળીએ દ્વારકાતી ડાકોર આવ્યા ભગવાન
આજે દેવદિવાળીના પવિત્ર તહેવારના દર્શન કરવા લાખો ભક્તો ગઈકાલ રાતથી જ ડાકોર આવવાનું શરુ થયા હતા વહેલી સવારે 4 કલાકે મંગળા આરતીના દર્શન ખુલ્ય હતા ત્યાર થી ભક્તોનું ઘોડાપુર મંદિરમાં ઉમટી પડ્યું હતું.
લાખોની કિંમતના મુગટથી ભગવાનનો શણગાર
ભગવાન રણછોડરાયને પરંપરાગત રીતે દેવદિવાળીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો જેમાં ભગવાનને 100 વર્ષ પહેલા સવા લાખની કીમત ધરાવતા રૂપા માણેકથી જડેલ મુગટ ધરાવવામાં આવ્યો હતો ભક્તો રણછોડજીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે ડાકોર દર્શન બાદ ભક્તો ફાગવેલ ભાથીજી મંદિર વડતાલ સ્વામીનારાયણ મંદિર અને તે બાદ નડીઆદ સંતરામ મંદિરના દર્શન કરવા રવાના થયા છે
ભક્ત બોડાણાની વાયકા
ડાકોરમાં ક્ષત્રીય કુળ માં જન્મેલા ભક્ત બોડાણા ભગવાન રણછોડમાં અતુટ શ્રધ્ધા ધરાવતા હતા અને દર પૂનમે ભગવાન રણછોડના દર્શન કરવા દ્વારકા જતા હતા. બોડાણા ઘરડા થયા અને હવે કે દ્વારકા આવી શકે તેમ નહતા ત્યારે ભગવાન રણછોડ પ્રશન્ન થઇ દ્વારકા છોડી ભક્ત બોડાણા સાથે દેવદિવાળી એટલેકે કાર્તિક પૂર્ણિમા સંવત 1212 ના દિવસે દ્વારકા છોડી ડાકોર આવ્યા હતા જેને આજે 864 વર્ષ પૂર્ણ થયા છે
1600 દિવાથી ઝળહળી ઉઠશે ડાકોર મંદિર
આજના દિવસ ને ડાકોરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે ડાકોર મંદિરમાં વિશેષ 1600 ચોખા ઘી ના દીવા અને અન્ય રોશનીથી શણગાર કરવામાં આવે છે આજથી શરુ થયેલ ભક્તોનો અવિરત પ્રવાહ આજથી પચમ સુધી અવિરત રહેશે