અરલ્લીના ભુતાવડ ગામે 17 પરિવારોના સ્થળાંતરનાં મામલે પોલીસે મિટિંગ કરી બંને પરિવાર સાથે સમાધાન કર્યું છે. પોલીસ દ્વારા ગામના સરપંચ તેમજ આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી.
પોલીસ વિભાગ અને ગામના દરેક સમાજના આગેવાનો સાથે કરી બેઠક
પોલીસ સાથે મિટિંગમાં બંને પરિવારે કર્યુ સમાધાન
અરલ્લીના ભુતાવડ ગામે 17 પરિવારોના સ્થળાંતરનાં મામલે પોલીસ દ્વારા મિટિંગ કરી બંને પરિવાર સાથે સમાધાન કર્યું છે. ત્યારે પોલીસ દ્વારા ગામના સરપંચ તેમજ આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. ત્યારે મોડાસા એલસીબી અને ભિલોડા પોલીસ ભુતાવડ ગામે પહોંચી હતી અને પોલીસ દ્વારા ગામના દરેક સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. હજુ સુધી અમુક પરિવાર ગામમાં પરત નથી આવ્યા જે બાબતે પોલીસે આશ્વાસન આપ્યું હતું કે સાંજ સુધીમાં તમામ પરિવારો પરત ફરશે. ત્યારે ગામના જ એક સમાજના યુવકે અન્ય સમાજની યુવતિ સાથે લગ્ન કર્યા હતા. યુવકે આંતરજ્ઞાતિય લગ્ન કરતા ગ્રામ લોકોએ એક સમાજનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોએ 17 પરિવારને ગામ બહાર મુકતા સ્થળાંતર કર્યું હતું.
અરવલ્લીના ભુતાવડ ગામે 17 પરિવારો દ્વારા કરવામાં આવેલ સ્થળાંતર મામલે પોલીસ દ્વારા ગામના આગેવાનો સાથે બેઠક કરી સમાધાન કર્યું છે. ત્યારે પ્રેમ લગ્ન કરનાર સમાજના યુવાનના પરિવારજનોને ગ્રામ લોકોએ ગામ બહાર મુકતા પરિવારો સ્થળાંતર માટે મજબૂર બન્યા હતા. જેને લઈને પ્રેમ લગ્ન કરનાર યુવકના પરિવારજનોએ સ્થળાંતર કર્યું હતું. જેઓને પોલીસ દ્વારા પ્રોટેક્શન સાથે ગામમાં પરત લાવવામાં આવ્યા છે.
યુવક-યુવતીએ પ્રેમલગ્ન કરતા ગ્રામજનોમાં આક્રોશ
અરવલ્લીના ભુતાવડ ગામે થોડા સમય અગાઉ એક સમાજના યુવકે અન્ય સમાજની યુવતી સાથે રાજીખુશીથી પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદ આખા ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બંને સમાજના આગેવાનો દ્વારા યુવક અને યુવતીને છૂટાછેડા લેવા માટે સમજાવવામાં આવ્યા હતા. અનેક પ્રયાસ બાદ પણ યુવક-યુવતી અલગ ન થતાં ગ્રામજનો દ્વારા એક સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
એક સમાજનો કરાયો બહિષ્કાર
અરવલ્લીના ભુતાવડ ગામે થોડા સમય અગાઉ એક સમાજના યુવકે અન્ય સમાજની યુવતી સાથે રાજીખુશીથી પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદ આખા ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બંને સમાજના આગેવાનો દ્વારા યુવક અને યુવતીને છૂટાછેડા લેવા માટે સમજાવવામાં આવ્યા હતા. અનેક પ્રયાસ બાદ પણ યુવક-યુવતી અલગ ન થતાં ગ્રામજનો દ્વારા એક સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલો કલેક્ટર કચેરીએ પહોચ્યો હતો
તેમના ઘરની પાસે આવેલી સ્ટ્રીટ લાઈટ, દૂધ અને પાણી ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાથે જ તેમને ગામ બહાર કરાયા હતા. જે બાદ આ મામલો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો હતો. આ સમાજના આગેવાનો દ્વારા ભુતાવડ ગામજનોના તાલીબાની નિર્ણયની સામે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.