આપણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી છાપા તો રોજ વાંચીએ છીએ અને જોઈએ પણ છીએ. પરંતુ શું તમે ક્યારેય સંસ્કૃત છાપું વાચ્યું છે ? 99 ટકા લોકોએ તો જોયું પણ નહીં હોય. પરંતુ કોઈ કહે કે, દેશનું એક માત્ર દૈનિક સંસ્કૃત પેપર આપણા સુરતમાંથી નિકળે છે તો ? નવાઈ લગાશે. પરંતુ આ ન્યૂઝ પેપર નિકાળનાર વિશે જાણીને મોટી નવાઈ લાગશે. ત્યારે જાણો કોણ છે આ મહારથી અને કેવું છે સંસ્કૃત દૈનિક પેપર...
દેશનું એક માત્ર સંસ્કૃત દૈનિક નિકળે સુરતમાંથી
મુસ્લિમ પરિવાર ચલાવે છે ન્યૂઝ પેપર
10 વર્ષથી સુરતમાંથી થાય છે પ્રકાશિત
અર્થાત સંસ્કૃત અને સંસ્કૃતિએ ભારતીય પ્રતિષ્ઠાનો આધારસ્તંભ છે. પરંતુ આજે આપણા અભ્યાસક્રમોમાંથી પણ સંસ્કૃત ભાષા ગાયબ થઈ ગઈ છે. આપણે અંગ્રેજી તરફ દોડ લગાવી રહ્યા છે. પરંતુ ખુશીની વાત એ છે કે, આજે પણ આપણી સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનું એક માત્ર દૈનિક ન્યૂઝ પેપર સુરતમાંથી પ્રકાશિત થાય છે. અને તેથી પણ ગર્વની વાત એ છે કે, વિશ્વસ્ય વૃતાંતમ્ નામના આ સંસ્કૃત દૈનિક પત્રને એક મુસ્લિમ પરિવાર ચલાવે છે. તેના એડિટર પણ મુર્તુઝા ખંભાતવાલા છે. ત્યારે આવો જાણીએ કે, સંસ્કૃત પ્રત્યે તેમને આટલો લગાવ કેમ છે.
વિશ્વસ્ય વૃતાંતમ્ નામનું આ સંસ્કૃત ન્યૂઝ પેપર 2011માં શરૂ થયું હતું. સમય અને સંજોગો વચ્ચે તે બંધ થવાની કતારે પણ પહોંચી ગયેલું. પરંતુ મુર્તુઝા ખંભાતવાલાએ તેને કોઈપણ રીતે જીવંત રાખ્યું છે. આજે દૈનિક 4 પાનામાં પ્રકાશિત થાય છે.
સુરતમાંથી પ્રકાશિત થતા આ ન્યૂઝ પેપરમાં રાજકારણ, સાંપ્રત ઘટના-સમસ્યાઓ, સ્પોર્ટસ, હેલ્થ, ફિલ્મી સમાચાર, સહિતની કોલમનો સમાવેશ કરાયો છે. સોશિયલ મીડિયામાં આ સંસ્કૃત પેપરનો વાંચકવર્ગ પણ ખુબ મોટો છે. પરંતુ આવનાર પેઢી તો સંસ્કૃત જાણતી જ નથી. કારણ કે, શાળા-કોલેજોમાંથી આપણે અભ્યાસ ક્રમ જ નિકાળી દીધો છે. તેવામાં સરકારે દેશની તમામ શાળાઓમાં સંસ્કૃત ભાષાના અભ્યાસને ફરજિયાત કરવો જોઈએ. કારણ કે, સંસ્કૃત વિશ્વની સૌથી જુની ભાષાઓમાંની એક છે. જોકે આ ભાગદોડ ભરી દુનિયામાં આજના સમયમાં પણ તેને લોકો વચ્ચે જીવંત રાખવી તે એક ગર્વ અપાવનારી વાત છે.