શનિવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે ખાસ ગણાય છે. આજના દિવસે કોઈનું અપમાન ન કરવાની અને સાથે જ ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. શનિવારે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવું શુભ ગણાય છે. જો તમે આજે કોઈ સારું કામ કરવા જઈ રહ્યા છો તો યાદ રાખો કે આજનો શુભ રંગ વાદળી અને ભૂરો છે. તો તમે તે કલરની કોઈ ચીજ તમારી સાથે રાખો અથવા તે કલરના કપડાં પહેરો. તો જાણો મેષથી મીન રાશિનું આજનું રાશિફળ.