તમારી રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઈમ્યૂનિટી જેટલી સારી હશે એટલા જ રોગો તમારાથી દૂર રહેશે. ઘણાં લોકોની ઈમ્યૂનિટી એટલી વીક હોય છે કે સિઝનમાં થોડો પણ ફેરફાર થાય એટલે શરદી, ખાંસી અને તાવ જેવી સમસ્યાઓ થવા લાગે છે. વીક ઈમ્યૂનિટીવાળા લોકોને દરેક પ્રકારના રોગો થવાનો ખતરો સામાન્ય લોકોથી વધુ હોય છે. આવું એટલે થાય છે કે જ્યારે કોઈ બીમારી કે રોગના વાયરસ અને બેક્ટેરિયા બોડીમાં પ્રવેશે છે ત્યારે તેમનું ઈમ્યૂન સિસ્ટમ આ રોગોથી લડી શકતા નથી અને તેમને બીમાર બનાવી દે છે. જેથી આ બધી જ સમસ્યાઓથી બચવું હોય તો તેના માટે ઈમ્યૂનિટી વધારવી ખૂબ જ જરૂરી છે. જેના માટે આજે અમે તમને એક એવા હર્બલ અને બેસ્ટ ઉકાળા વિશે જણાવીશું, જેને ઘરમાં જ બનાવીને તમે પણ પી શકો છો અને તમારા બાળકો અને આખા પરિવારને આપી શકો છો.
સૌથી પહેલાં 1 તપેલીમાં દોઢ ગ્લાસ પાણી લો અને પાણી સહેજ ગરમ થાય એટલે તેમાં કાળા મરી, એલચી, આદુ નાખો. પછી તેમાં તુલસીના પાન ધોઈને નાખો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં મધ નાખીને અન્ય બધી જ સામગ્રી એડ કરી દો. 7-8 મિનિટ ધીમી આંચ પર થવા દો. પછી ગેસ બંધ કરી નવશેકુ રહે એટલે ગ્લાસમાં ગાળીને કાઢી લો.
ફાયદા
આ ઉકાળામાં રહેલી વસ્તુઓ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. આ વસ્તુઓ શિયાળામાં શરીરને ગરમાવો આપશે.
આ ઉકાળો રોજ એકવાર પીવાથી ઈમ્યૂનિટી વધશે. ઘરના નાના મોટા દરેક લોકો આ ઉકાળો પી શકે છે.
અત્યારના કોરોનાકાળમાં આ ઉકાળો રોજ પી લેવાથી સંક્રમણનો ખતરો ઓછો થશે અને ઈમ્યૂનિટી વધશે.
શરદી, કફ, ખાંસી, ગળામાં દુખાવો, છાતીમાં કફ ભરાવાની સમસ્યાથી બચાવવા માટે પણ આ ઉકાળાનું સેવન બેસ્ટ છે.
શિયાળામાં આ ડ્રિંક રોજ પી લેવાથી બીમારી પાસે નહીં ફરકે.