દેશમાં ફરી એક વાર કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામા આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 2183 કેસો સામે આવ્યા છે.
દેશમાં વધી રહેલા કોરોનાએ ચિંતા વધારી
દૈનિક સંક્રમણ દરમાં થયો વધારો
શું દેશમાં ચોથી લહેર આવી ગઈ ?
દેશમાં ફરી એક વાર કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામા આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 2183 કેસો સામે આવ્યા છે. તેની સાથે જ દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,30,44,280 થઈ ગઈ છે. તો વળી કોરોના સંક્રમણના એક દિવસમાં 214 લોકોના મોત થઈ ગયા છે. તેની સાથે જ મૃતકોની કુલ સંખ્યા વધીને 5,21,965 થઈ ગઈ છે. જ્યારે આજે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 1985 થઈ છે.
શું ચોથી લહેર આવશે
અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસમાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. અચાનકથી કોરોનાના કેસો વધવા લાગ્યા છે. હાલમાં એટલે કે, 17 એપ્રિલની સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જે આંકડા જાહેર કર્યા છે, તે મુજબ દેશમાં કોરોનાના 1150 નવા કેસ આવ્યા હતા. તો વળી 16 એપ્રિલે સંક્રમણના 975 નવા કેસો આવ્યા હતા. ત્યારે આવા સમયે ફરી એક વાર ચિંતા થવા લાગી છે, શું દેશમાં ચોથી લહેરનો પગ પેસારો થઈ ગયો છે.
કોરોના કેસોમાં 90 ટકાનો ઉછાળો
છેલ્લા ચારથી પાંચ દિવસના આકંડા પર નજર નાખીએ તો, કોરોના સંક્રમિતોના આંકડામાં 90 ટકાનો ઉછાળો આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, હાલના દિવસોમાં દેશના કેટલાય રાજ્યોમાં કોરોનાથી સંક્રમિત સંખ્યામાં વદારો જોવા મળી રહ્યો છે. દિલ્હી સહિત યુપી અને હરિયાણામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
કોરોનાના લેટેસ્ટ આંકડા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સારવારા લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યામાં 0.03 ટકા છે. તો વળી સંક્રમણ મુક્ત થનારા લોકોની સંખ્યા 98.76 ટકા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં દૈનિક સંક્રમણ દર હાલમાં 0.83 ટકા છે. જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 0.32 ટકા છે. ભારતમાં કોરોના વિરુધ્ધની લડાઈમાં અત્યાર સુધીમાં 186.54 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે.