ગુજરાતના દાહોદમાં એક ગજબ ઘટના સામે આવી છે. પતી-પત્ની વચ્ચે ભજીયા બનાવવાને લઈને થયેલી બબાલે હત્યામાં પરિણમતા ચકચાર મચી ગઈ છે. પત્નીએ ગુસ્સામાં દાંતરડા અને પથ્થરના ઘા ઝીંકીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
દાહોદના ગરબાડા ગામે પત્નીએ પતિની હત્યા કરી
દંપતિ વચ્ચે ભજીયા બનાવવાની બાબતે ઉગ્ર ઝઘડો થયો
પત્નીએ ઉશ્કેરાઈ જઈને પતિની હત્યા કરી
દાહોદના વડબારા ગામે પત્નીએ પતિની કરપીણ હત્યા કરી છે. આ હત્યાને પગલે ચકચાર મચી ગઈ છે.
કેમ પતિએ કરી પત્નીની હત્યા
પતિએ જ કેમ કરી પત્નીની હત્યા એ બાબત વિચારવા જેવી છે. પતિ-પત્ની વચ્ચે ભજીયા બનાવવા બાબતે ઝઘડો થયો હતો. પત્ની એકદમ ઉશ્કેરાઈ જઈને પતિની હત્યા કરી હતી. ગુસ્સે થઈને ક્રૂર થઈને પત્નીએ પતિની કરપીણ હત્યા કરી હતી. પથ્થર, દાતરડા જેવા હથિયાર વડે હત્યા કરાઈ હતી.
પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી
હત્યા બાદ પત્ની ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. કતવારા પોલીસે હત્યા મામલે વધુ તપાસ હાથધરી હતી.