બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદમાં સ્કૂલ પ્રિન્સિપાલનું ખૌફનાક કૃત્ય, હવસ ન સંતોષાતાં 6 વર્ષની બાળકીને મારી નાખી
Last Updated: 06:19 PM, 22 September 2024
એક શિક્ષકનું કામ શિષ્યોને જ્ઞાન આપવાનું હોય છે, પણ ગુરુની પદવીને લાંછન લગાડતો કિસ્સો દાહોદથી સામે આવ્યો છે. દાહોદના તોરણી પ્રાથમિક શાળામાં 6 વર્ષની બાળકીની મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. હવસખોર આચાર્ય ગોવિંદ નટે બાળકીની હત્યા કર્યાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. વાત એવી છે કે, હેવાન શિક્ષકે શારીરિક ભૂખ સંતોષવા 6 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી હતી બાદ તેણે માસૂમને મોતને ઘાટ ઉતારી હતી
ADVERTISEMENT
આચાર્યએ માસૂમને ઉતારી મોતને ઘાટ
ADVERTISEMENT
દાહોદના પીપળીયા ગામની તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી 19 સપ્ટેમ્બરે સવારે ઘરેથી શાળાએ જવા તો નીકળી હતી. પરંતુ શાળા છૂટ્યા બાદ તે ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને શાળાએ દોડી ગયો હતો. આમ શોધખોળ કરતા સ્કૂલના પાછળના ભાગેથી મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો: તળાજામાં અપહરણ બાદ મારીને હીરા દલાલને સળગાવી દેવાયો, બળેલા અંશો મળ્યાં
શારીરિક ભૂખ ન સંતોષાતા ભર્યુ પગલું
બનાવની જાણ પોલીસ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની FSL તપાસ કરાવી હતી. બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. બાદમાં વધુ તપાસ પોલીસે હાથ ધરી હતા. હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. જેમાં આચાર્ય ગોવિંદ નટે વિરૂદ્ધ કેટલાક પુરાવા મળતા પોલીસે હેવાન આચર્યની ધરપકડ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.