દાહોદ શહેરમાંથી આજે શુક્રવારે કરૂણ સમાચાર સામે આવ્યાં છે. જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કયા કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે મૃતકના પિતાએ મૃતક પુત્રની સાળી દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોની આત્મહત્યા
પતિ-પત્નીએ 3 બાળકો સાથે કરી આત્મહત્યા
અગમ્ય કારણોસર પરિવારના સભ્યોએ કરી આત્મહત્યા
મૃતકના પિતાએ કર્યો આક્ષેપ
દાહોદમાં સામુહિક આપઘાતના મામલે મૃતક પુત્રના પિતાએ આક્ષેપ કર્યા છે. મૃતક પુત્રની સાળી દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાળીના ત્રાસથી આપઘાત કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. મૃતક તેની સાળી સેહનાઝ પાસેથી સોનુ લાવ્યો હતો.
દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોએ આત્મહત્યા કરી છે. પતિ પત્નીએ 3 બાળકો સાથે આત્મહત્યા કરી લીધી છે. અગમ્ય કારણોસર પરિવારના સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે.
દાહોદ પોલીસે એક જ પરિવારના 5 સભ્યોએ કરેલી આત્મહત્યા મામલે તપાસ શરૂ કરી છે. કયા કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે હજુ સુધી આ અંગેનું કોઇ કારણ બહાર જાણવા મળ્યું નથી.