દાહોદના વિરલ ચકચારી હત્યા કેસમાં આજે કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાઈ છે. ત્યારે હત્યાકેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે.
કોર્ટે આરોપી દીવ દિલીપ દેવલના બે સહયોગી સાથીઓને મુક્ત કર્યા છે. ત્યારે વિરલના પિતાએ કોર્ટમાંથી ન્યાય મળ્યાનું જણાવ્યું હતુ.
લાશની હત્યા બાદ 8 ફુટના ખાડામાં દાટી
અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદના સિંધી વેપારીની હત્યા કરનાર દિલીપ દેવળના રિમાન્ડ લેવામાં આવતા તેણે અશ્વિન બામાણિયા ઉર્ફે સોનુનું નામ કબૂલી લીધુ હતું. ત્યારબાદ પોલીસે વધુ સખ્તી અપનાવતા તેણે વિરલની ગોળી મારીને હત્યા કરી હોવાની વાત પણ કબૂલી હતી.
હત્યા બાદ મૃતકની લાશને ખરેડી ગામના ખેતરમાં 8 ફુટ ઉંડો ખાડો ગાળી દાટી દીધું હોવાનું પણ સ્વીકારેલ. ત્યારે આ ચકચારી કેસ મામલે કોર્ટ દ્વારા મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ હત્યાકેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.