સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે ગઇકાલે પોતાના પદ પરથી રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે સાંસદના રાજીનામાં ચીમકી બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. સાંસદના રાજીનામાં પર દમણ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે તીખી પ્રતિક્રિયા આપતાં સ્થાનિક ચૂંટણીને લઇને રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો.
અપક્ષ સાંસદ મોહન ડેલકરની રાજીનામાની ચીમકીનો મામલો
દમણ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલના ડેલકર પર ગંભીર આરોપ
સંઘ પ્રદેશ દાદરા નગરહવેલીના સાંસદ મોહન ડેલકરની રાજીનામાની ચીમકી મામલે સ્થાનિક કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપ લગાવામાં આવ્યાં છે. દમણ કોંગ્રેસ પ્રમુખ કેતને આરોપ લગાવતાં કહ્યું કે મોહન ડેલકરે કમજોર નેતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.
દમણ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે મોહન ડેલકર પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંઠણી માટેનું રાજકીય સ્ટંટ છે. આમ સાંસદ મોહન ડેલકરના રાજીનામાંની ચીમકી મામલે દમણ કોંગ્રેસ પ્રમુખ દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
શું હતો મામલો...
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે પોતાના પદ પરથી રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી. સાંસદ મોહન ડેલકરે એક વીડિયો વાયરલ કરી કહ્યું હતું કે હું આગામી લોકસભા સત્રમાં રાજીનામુ આપીશ અને રાજીનામુ આપવા માટે કોણ જવાદાર છે તે તમામના નામ ઉજાગર કરીશ.
મોહન ડેલકરે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં વિકાસ માટે પ્રયાસ દિલ્લી લેવલે કર્યાં છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કાર્ય નથી કરવામાં આવતા. સેલવાસમાં વિકાસના નામે લોકોની દુકાનો અને ઘર તોડી નાખવામાં આવે છે. અને સરકારી શિક્ષકો અને અન્ય નોકરિયાતને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. ઉપરી અધિકારીઓના દબાણના કારણે આત્મહત્યાના પણ કેસ પણ વધ્યા છે.
સાંસદ મોહન ડેલકરે કહ્યું કે હું લોકસભામાં રાજીનામું કેમ આપવું પડ્યું તેનો ખુલાસો પણ કરીશ, સ્થાનિક તંત્ર અને પોલીસ અધિકારીઓ સામે મારી પાસે પુરાવા પણ છે, અને રાજીનામુ આપતા પહેલા પીએમ મોદી અને ગૃહમંત્રી સાથે મુલાકાત પણ કરીશ.