દાદરા નગર હવેલીના ક્લાસ વન અધિકારીના આપઘાતના મામલે મૃતક અધિકારી જીગ્નેશ કાછીયાની સ્યુસાઈટ નોટમાં ચોંકવનારા ખુલાસા કરવામાં આવ્યો છે. અધિકારીએ અંતિમ પગલુ ભરતા પહેલા 2 સ્યુસાઈટ નોટ લખી હતી.
8 પેજની અને 14 પેજની સ્યુસાઈટ નોટ લખીને આપઘાત કર્યો છે. સુસાઇડ નોટમાં અન્ય 5 અધિકારી વકીલના નામનો ઉલ્લેખ છે. જેમાં લેબર ઓફિસર પ્રશાંત જોષી દાનિષ્ક અધિકારી નીતિન જીંદાલનો ઉલ્લેખ છે. DIG ઓફિસનો ક્લાર્ક રસીક પટેલ અધિકારી કરણજીત વડોદરિયાનો ઉલ્લેખ છે. તેમજ વકીલ પ્રેરક ભટ્ટ સેલવાસ PI કે.બી મહાજનના નામનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખ કરવામાં આવેલા તમામ સામે ફરિયાદ નોંધવા મૃતકની પત્નીએ રજૂઆત કરી છે. ડાઇંગ ડેક્લેરેશન માનીને તમામ શખ્સો સામે ફરિયાદ નોંધવા માગ કરી છે. સેલવાસ પોલીસની કાર્યવાહીને લઈ મૃતકના પરિવારજનોનો અસંતોષ જોવા મળ્યો હતો.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના ક્લાસ વન અધિકારીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર પ્રદેશમાં મચી ગઈ હતી. ગઈ તારીખ 23એ પ્રદેશના ઉદ્યોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર જીગ્નેશ કાછીયાએ તેમના પરિવાર ના અન્ય સભ્યો ઘરની બહાર હતો તે વખતે તેઓએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
જીગ્નેશ કાછીયાના ઘરમાંથી બે સુસાઇડ નોટો મળી આવી હતી. જેને મામલતદારએ તાત્કાલિક પોતાના કબજામાં લઇ અને સીલ કરી દીધી હતી. મૃતક અધિકારી એ લખેલી સુસાઇડ નોટમાં અનેક ચોંકાવનારા ખુલાસા અને પ્રદેશ ના અનેક ઉચ્ચ અધિકારીઓ ના નામ લખેલા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.
જોકે આજે આખરે જીગ્નેશ કાશીયાએ લખેલી સુસાઇડ નોટ માં જે અધિકારીઓ નામ લખ્યા હતા. તેમના નામ પર થી પડદો ઉઠી રહ્યો છે. પરિવારની અનેક રજૂઆતો બાદ આજે આખરે સેલવાસ પોલીસે મૃતકના પરિવારને બોલાવી અને પોલીસની હાજરીમાં સુસાઇડ નોટ ખોલી અને માત્ર પરિવાર વાંચી લીધા બાદ પોલીસે પોતાના કબજામાં રાખી લીધી હતી.
આથી પોલીસની કામગીરી સામે શંકા વ્યક્ત કરી રહ્યા છે. જીગ્નેશ કાછીયા ના પરિવારજનો ના કહેવા મુજબ. જીગ્નેશે અંતિમ પગલુ ભરતા પહેલા 8 પેજ અને 14 પેજ ની બે સુસાઇડ નોટ લખી હતી. જેમાં પ્રદેશના 5 અધિકારીઓ અને એક વકીલનું નામ લખ્યું હોવાનો દાવો કર્યો છે.
પરિવારજનોના કહેવા મુજબ સુસાઇડ નોટમાં લેબર ઓફિસર પ્રશાંત જોષી દાનિષ્ક અધિકારી નીતિન જીંદાલ ડીઆઈજી ઓફિસ નો ક્લાર્ક રસીક પટેલ અધિકારી કરણજીત વડોદરિયા અને તેમના તરફથી કોર્ટમાં કાર્યવાહી કરી રહેલ વકીલ પ્રેરક ભટ્ટ સેલવાસ પીઆઈ કે.બી મહાજન નું નામ પણ હોવાનો દાવો કર્યો છે.
જોકે પોલિસે જીગ્નેશ એ લખેલી સ્ફોટક સુસાઇડને પરત લઈ લીધી હતી. આથી પરિવારજનો એ સેલવાસ પોલીસની કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કર્યો છે અને મૃતકની પત્નીએ સુસાઇડ નોટો ને ડાઇંગ ડેક્લેરેશન માની સુસાઇડ નોટમાં નામ લખેલ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા કરી રજૂઆત કરી હતી.
મૃતક અધિકારી જીગ્નેશ કાછીયાના મોત બાદ હવે મામલો ગરમાયો છે. તેના પરિચિતો અને પરિવારજનો જીગ્નેશ કાછીયાના મોત પાછળ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા લાખો રૂપિયા ની માંગ અને માનસિક ત્રાસ અને દબાણ ને લીધેજ તેઓએ અંતિમ પગલું ભર્યુ હોવાના આક્ષેપો કરી રહ્યા છે. તમામ લોકો ની તાત્કાલિક ધરપકડ થાય તેવી માંગ પરિવાર કરી રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે મૃતક અધિકારી જીગ્નેશ કાછીયા પર પીપરિયા ઔદ્યોગિક વિસ્તારમાં પ્લોટના ટ્રાન્સફર પ્રક્રિયા મામલે ગેરરીતિ ના આક્ષેપો થયા હતા અને એ મામલા ના કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો ગાયબ થઈ જવાથી તેમના વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદ દાખલ થઇ હતી.
ત્યાર બાદ તેમના પર આવક કરતા વધુ સંપત્તિ નો કેસ પણ દાખલ કરવા માં આવ્યો હતો અને તેમને ફરજ મોકૂફ પણ કરવામાં આવ્યા હતા. આમ એક સાથે બે-બે ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદનો સામનો કરતા જીગ્નેશ કાશીયાએ અંતિમ પગલું ભરી લેતા સમગ્ર મુદ્દો ચર્ચા નું કેન્દ્ર બન્યો છે. ત્યારે હવે આ ઉચ્ચ અધિકારીઓ પર તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ પરિવાર કરી છે ત્યારે પ્રદેશના સરકારી અધિકારી આલમ માં ફફડાટ વ્યાપી ગયો છે.