18 મહિનાનું બાકી DA મળવાની આશાએ બેઠેલા કેન્દ્રીય કર્મચારીઓને એક તગડો ઝટકો લાગ્યો છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર
DAને લઈને નાણા મંત્રાલયે કર્યો ખુલાસો
18 મહિનાના બાકી પૈસા નહીં મળે
કેન્દ્રીય કર્મચારીઓને આશા હતી કે તેમને 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થું મળી જશે પરંતુ સરકારે તેમની આશા પર પાણી ફેરવી દીધું છે. નાણા મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે 18 મહિનાના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએના બાકી લેણાં નહીં મળે. હકીકતમાં કોરોના કાળમાં કેન્દ્રીય કર્મચારીઓને અર્ધવાર્ષિક ધોરણે અપાતા મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રાજ્યસભાના સાંસદ નારણ-ભાઈ જે રાઠવાએ નાણામંત્રીને પૂછ્યું હતું કે શું સરકાર 18 મહિનાની બાકી મોંઘવારી ભથ્થું આપવાનો વિચાર કરી રહી છે. જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે ડીએ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
કોરોનામાં સરકારે મોંઘવારી ભથ્થું ચુકવ્યું નહોતું
કેન્દ્ર સરકારે કોરોનાની સ્થિતિનો હવાલો આપીને 18 મહિના એટલે કે 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 વચ્ચે કર્મચારીઓને ડીએ ચૂકવ્યું નહોતું તેથી એવું માનવામાં આવી રહ્યું હતું કે, સ્થિતિ સુધર્યા બાદ સરકાર બાકી ડીએ ચુકવી આપશે પરંતુ હવે સરકારની સ્પસ્ટતા બાદ કેન્દ્રીય કર્મચારીઓને બાકી રકમ નહીં મળે તે નક્કી છે.
અર્ધવાર્ષિક ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો
સાતમા પગાર પંચની ભલામણો અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓએ અર્ધવાર્ષિક ધોરણે મોંઘવારી ભથ્થું અથવા રાહતમાં વધારો કરવો પડે છે. આ જ કારણ છે કે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થુ કે રાહતમાં વધારો કરે છે. જો કે કોરોના કાળમાં મોંઘવારી ભથ્થું કે રાહત ત્રણ અડધા મહિના સુધી યથાવત રહી હતી. ત્રણ અર્ધવાર્ષિક બાકી લેણાંની માગણી કરવામાં આવી હતી.